અમદાવાદઃ આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ સેવા રથના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને રાશન કિટનું વિતરણ કરવામાં આવશે. જો કે આ વિતરણ દરમિયાન કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં લીધા વગર જ સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું. ભાજપના કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં નિષ્ફળ નિવડ્યાં હતાં. વળી તેમણે બધો જ આરોપ નાગરિકો ઉપર ઢોળી દીધો હતો.
વડાપ્રધાનના જન્મદિને ખાડીયામાં યોજાયેલા કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ - કોરોના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મ દિવસના ઉપલક્ષ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં સેવાસપ્તાહ કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત અમદાવાદમાં શહેર ભાજપ દ્વારા ખાડીયા ખાતે સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત 70 રાશન કિટનું વિતરણ જરૂરિયાતમંદ લોકોને કરવામાં આવ્યું હતું.
![વડાપ્રધાનના જન્મદિને ખાડીયામાં યોજાયેલા કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ વડાપ્રધાનના જન્મદિને ખાડીયામાં યોજાયેલ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8834403-thumbnail-3x2-khadiya-bjp-7209112.jpg)
વડાપ્રધાનના જન્મદિને ખાડીયામાં યોજાયેલ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
વળી રાશન કિટ લેવા માટે પણ ફોર્મ ભરવાનું જરૂરી હતું અને લાઈન લાગી હોવાથી જરૂરિયાતમંદ લોકો એકબીજા સાથે જીભાજોડી કરતાં પણ જોવા મળ્યાં હતાં. ભાજપનો આ કાર્યક્રમ અવ્યવસ્થાનો શ્રેષ્ઠ નમૂનો સાબિત થયો હતો.
વડાપ્રધાનના જન્મદિને ખાડીયામાં યોજાયેલ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ