ગુજરાત

gujarat

કટોકટીમાં જેલવાસ ભોગવ્યો હતો: CM રૂપાણી

By

Published : Nov 26, 2019, 11:27 PM IST

અમદાવાદ: શહેરમાં બંધારણની 70મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ચીફ જસ્ટિસ વિક્રમનાથ સહિત અનેક પ્રધાન હાજર રહ્યાં હતાં.

vijay rupani
વિજય રૂપાણી

બંધારણના 70 વર્ષના નિમિત્તે ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરીયમમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ચીફ જસ્ટીસ વિક્રમનાથ સહિત અનેક પ્રધાન હાજર રહ્યાં હતાં. બંધારણના મૂલ્યો અંગે ચર્ચા કરતા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ યુતિન્દ્રસિંહે જણાવ્યું હતું કે, સમયની માગ સાથે તેમાં યોગ્ય ફેરફાર થયો છે.

બંધારણની 70મી વર્ષગાંઠની ઉજવણી

આ અંગે ચર્ચા કરતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, બંધારણ અને લોકશાહી માટે કલંકિત સમય કટોકટીનો હતો. જય પ્રકાશ નારાયણની આગેવાનીમાં 19 વર્ષની ઉંમરે પોતે જેલમાં ગયા હોવાની સ્પષ્ટતા કરી હતી. પોતે એક વર્ષ જેલમાં ગાળ્યો હતો.

મુખ્યપ્રધાને ભારતના બંધારણની પ્રશંસા કરતા કહ્યું કે, કાશ્મીરમાંથી કલમ 370 નાબુદી, ટ્રીપલ તલાક સહિત તેની જ દેન છે. અગામી સમયમાં સરકાર બંધારણને ધ્યાનમાં રાખીને સમાન ધારાનો કાયદો લાગુ કરવા તરફ પ્રયાણ કરશે.

રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બંધારણ અંગે માહિતી આપતા કહ્યું કે, બંધારણ બધાને વાણી અને સ્વતંત્રતા આપે છે. પરતું તેનો સદ-ઉપયોગ થવો જોઈએ. ભારતનું બંધારણ સૌથી લચીંલુ હોવાથી તેમાં યોગ્ય ફેરફાર થઈ શક્યા છે અને ડૉ.બાબા સાહેબ આંબેડકરની આગેવાનીમાં તૈયાર થયેલા આ બંધારણ હેઠળ તમામ ધર્મના લોકોને સમાન અધિકાર, ધર્મનું પાલન સહિતની સુવિધા મળી રહે છે.

ABOUT THE AUTHOR

...view details