અમદાવાદમાં આવતીકાલે વીએચપી-બજરંગદળ દ્વારા રામ જન્મભૂમિ શિલાન્યાસના ઉપલક્ષમાં ઉત્સાહભેર ઉજવણી કરાશે
ઐતિહાસિક અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળે શિલાન્યાસના અવસરે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે અમદાવાદમાં પણ વિશ્વ બજરંગદળ અને VHP દ્વારા વિશિષ્ટ કાર્યક્રમો રાખવામાં આવ્યાં છે.
અમદાવાદમાં આવતીકાલે વીએચપી-બજરંગદળ દ્વારા રામ જન્મભૂમિ શિલાન્યાસના ઉપલક્ષમાં ઉત્સાહભેર ઉજવણી કરાશે
અમદાવાદઃ આવતીકાલે અયોધ્યામાં યોજાનાર રામ જન્મભૂમિ શિલાન્યાસના અવસરને લઇ સમગ્ર દેશમાં ઉત્સાહ અને દીવાળી જેવો માહોલ છવાઇ ગયો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, RSSના પ્રમુખ સહિત તમામ મહંતોની વિશેષ હાજરીમાં ભૂમિપૂજન થનાર છે. ત્યારે અમદાવાદમાં પણ VHP અને બજરંગદળના જ્વલિત મહેતા દ્વારા અમદાવાદના ઉસ્માનપુરામાં મહાઆરતી, ભવ્ય આતશબાજી સહિત અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યાં છે.