કોરોનાથી બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું નિધન - Badruddin Sheikh
AMCના પૂર્વ નેતા વિપક્ષ અને કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદ્દીન શેખને SVP હોસ્પિટલમા વેન્ટીલેટર પર રખાયા હતા. જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા હોવાની માહિતી મળી હતી. તેઓ કોરોના વાઈરસથી પીડાઈ રહ્યાં હતા. જો કે, SVP હોસ્પિટલે આ અંગે સત્તાવાર જાહેરાત કરી નથી.

Badruddin Sheikh
અમદાવાદઃ રાજ્યમાં સૌથી વધારે કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા અમદાવાદમાં છે, ત્યારે રાજકીય નેતાઓ પણ કોરોનાના કહેરથી બચી શક્યા નથી. થોડા દિવસ અગાઉ કોંગ્રેસ કોર્પોરેટર બદરૂદ્દીન શેખનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. એસવીપી હોસ્પિટલમાં કોરોના વાઈરસની સારવાર હેઠળ રહેલા બદરૂદ્દીનનું મૃત્યુ થયું છે. જો કે, હજુ સુધી બદરૂદ્દીન શેખના મૃત્યના સમાચાર અંગે એસવીપી હોસ્પિટલે સત્તાવાર જાહેરાત કરી નથી.
Last Updated : Apr 26, 2020, 11:50 PM IST