- અમદાવાદમાં ખેડૂતોની અટકાયતના વિરોધમાં યુથ કૉંગ્રેસે આવેદનપત્ર આપ્યું
- ખેડૂત આગેવાનોની પ્રેસ કોન્ફરન્સ પહેલા અટકાયત કરી હતી
- રાજ્યમાં કિસાન આંદોલનને વેગ આપવા થઇ રહી હતી ચર્ચા
અમદાવાદઃ ગુજરાતમાં પણ ખેડૂત આંદોલનને વેગ આપવા માટે શહેરના સંયુક્ત કિસાન મોરચાના આગેવાનોએ ચર્ચા કરી હતી. ખેડૂત આગેવાનો દ્વારા આગામી સમયમાં રાકેશ ટિકૈત ગુજરાત આવે અને ખેડૂત આંદોલનને વાચા આપે તે અંગે પણ ચર્ચા થઈ હતી. તે દરમિયાન પોલીસે સ્થળ પર પહોંચીને ખેડૂત આગેવાનોની અટકાયત કરી હતી. જેના વિરોધમાં યુથ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતમાં કિસાન મોર્ચાનો કાર્યક્રમ યોજાશે: રાકેશ ટિકૈત
કૃષિ બિલને લઇને પ્રેસ કોન્ફરન્સનું આયોજન
કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સ યોજાય તે પહેલાં પોલીસ દ્વારા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. જેના વિરોધમાં યુવા કોંગ્રેસ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.