ગુજરાત

gujarat

By

Published : Sep 11, 2020, 2:37 AM IST

ETV Bharat / city

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 2000 પર પહોંચ્યો

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમા તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવારે સાંજ સુધીમાં કોરોનાના નવા 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી પોઝિટિવ કેસની સંખ્યા 2000 પર પહોંચી છે.

ETV BHARAT
અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 2000 પર પહોંચ્યો

અમદાવાદઃ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમા તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવારે સાંજ સુધીમાં કોરોનાના નવા 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી પોઝિટિવ કેસની સંખ્યા 2000 પર પહોંચી છે. નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી. આ સાથે જ અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોના પોઝિટિવનો આંકડો 400ને વટાવી ગયો છે.

અમદાવાદ ગ્રામ્ય કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2000
  • ધોળકા તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 466
  • સાણંદ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 450
  • દસક્રોઈ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 305
  • બાવળામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 233
  • ધંધુકામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 167
  • વિરમગામમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 232
  • માંડલમાંકોરોના પોઝિટિવ કેસની સંખ્યા 82
  • અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાને કારણે 58 મોત

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 466 અને સાણંદમાં 452 નોંધાયા છે, જે કુલ કેસના લગભગ 50 ટકા જેટલું થાય છે. દસક્રોઈ 305 બાવળામાં 233 કેસ નોંધાયા છે. હવે કોરોનાનું મૂળ ધોળકા અને સાણંદમાં ફેલાઈ રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાન ધંધુકા 167 વિરમગામ 232, બાવળા -233 અને માંડલ તાલુકામાં કોરોનાના 82 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત જિલ્લામાં અત્યાર સુધી 58 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.17 લાખ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકની કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. ગત 24 કલાકમાં 29 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનિટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનિટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ધોળકામાં 466 અને સાણંદમાં 452 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details