- ટ્રાફિક અવેરનેસ માટે આશ્રય સોસિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા અનોખા કાર્યક્રમનું આયોજન
- ટ્રાફિકના નિયમોને પાલન કરવા માટે લોકોને વિનંતી કરવામાં આવશે
- આ ઇવેન્ટને ટ્રાંસજેન્ડર કન્વોયનું નામ આપવામાં આવ્યું
અમદાવાદઃ જિલ્લા ખાતે કાર્ય કરતા આશ્રય સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા 1 લી ડિસેમ્બર, 2020 ના રોજ માર્ગ સલામતીની જાણકારી માટે એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
રોજ માર્ગ સલામતી માટે ઇવેન્ટનું આયોજન
આ કાર્યક્રમમાં માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અંગે સુચના આપવામાં આવી હતી. સ્થાનિક લોકો પ્રોત્સાહન આપવા અને ટ્રાફિક અવેરનેસ દ્વારા રસ્તા પર જતા અને વાહનો ચલાવનારા દરેકને સમજણ અને માહિતી મળી રહે તે માટે આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે ટ્રાન્સજેન્ડર્સ દ્વારા આ કાર્યક્રમમાં આ ટ્રાફિકના નિયમોને સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો.