ગુજરાત

gujarat

ETV Bharat / city

પેટાચૂંટણીમાં 8 બેઠકો પર પ્રજા જ સબક શીખવાડશેઃ અમિત ચાવડા - અમિત ચાવડા

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીને લઇ મંગળવારના રોજ ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી હતી. તારીખ 3 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. નોંધનીય છે કે, રાજ્ય સભામાં ચૂંટણીના લીધે કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા હતાં. જેને કારણે ખાલી પડેલી 8 બેઠકો પર પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજવામાં આવશે. જેમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોમાં ટિકિટ મેળવવા માટે જંગ જામ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ જીતી શકે તેવી બેઠક પર ટિકિટ મેળવવા માટે કોંગ્રેસના બે પાટીદાર નેતાઓ આમનેસામને હોવાનો ચર્ચાએ જોર પકડયું છે. આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીને લઇ સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે પહેલાંથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે આઠ બેઠકો પર ચૂંટણીની જાહેરાત સાથે જ ગુજરાતના રાજકારણમાં પણ હલચલ જોવા મળી રહી છે.

આઠેય બેઠકો પર પ્રજા જ સબક શીખવાડશેઃ અમિત ચાવડા
આઠેય બેઠકો પર પ્રજા જ સબક શીખવાડશેઃ અમિત ચાવડા

By

Published : Sep 30, 2020, 6:00 PM IST

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પરની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસ પણ તડામાર તૈયારીઓમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં હાલ કોંગ્રેસમાં ગળાકાપ સ્પર્ધા ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગુજરાતની જે આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે તેમાં ધારી બેઠકની ટિકિટ મેળવવા માટે જોરદાર જંગ જામી રહ્યો છે. ધારીમાં કોંગ્રેસના બે પાટીદાર નેતા જ ટિકિટ મેળવવા માટે થઈ સામસામે આવી ગયા છે ત્યારે આ બેઠક પરથી હવે ટિકિટ કોને મળશે તેની પર સૌની નજર જોવા મળી રહી છે. ધારીમાં કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મર પોતાની જ પુત્રી જેનીબેન ઠુમ્મરને ટિકિટ આપવા સક્રિય છે. જેનીબેન હાલ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ હોવાથી તેમને ટિકિટ મળે તેવી સંભાવના જોવા મળી રહી છે. તો બીજી બાજુ વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સુરેશ કોટડિયાને આગળ ધરી રહ્યા છે. એવી સ્થિતિમાં બે પાટીદાર નેતાઓએ આમનેસામને હાલ આવી ગયા છે.

જીતી શકાય એવી બેઠકો પર અંદરોઅંદર જંગ

જો કે, આ બેઠકને લઈ વિપક્ષના નેતા દુરાગ્રહ રાખે તો કદાચ આ બેઠક જીતવી કોંગ્રેસ માટે ખૂબ સરળ બની રહેશે તેવી શક્યતા સ્પષ્ટપણે જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે વી કાકડિયાએ પક્ષ પલટો કર્યો હોવાથી મતદારો તેમનાથી એક તરફ નારાજ જોવા તો મળી રહ્યા છે. ત્યારે બન્ને પાટીદારોને બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ વીરજી ઠુમ્મરની પુત્રીને ટિકિટ આપે તો ધારીની બેઠક જીતવી કદાચ કોંગ્રેસ માટે સરળ બની રહેશે તેવું લાગી રહ્યું છે .

પેટાચૂંટણીમાં કોંગ્રેસના જ જીતવાનો આશાવાદ
આ આઠ બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યસભા ચૂંટણી પહેલા રાજીનામાં આગળ ધરી દીધા હતાં. ભાજપ તરફથી આ તમામ બેઠકો પર કોંગ્રેસમાંથી રાજીનામા આપનાર કેટલાક ઉમેદવારોને ફરી મેદાનમાં ઉતારવામાં આવી શકે તેવી વાત કહેવામાં આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસ આ તમામ બેઠકો પર ભાજપને પછાડવા માટે થઇ તમામ એડીચોટીનું પ્રયત્ન લગાવે છે જે આઠ બેઠકો પર ચૂંટણી યોજાવા જઇ રહી છે. તેમાંથી 4 સીટો સૌરાષ્ટ્ર, 1 કચ્છમાં છે, જ્યારે 2 બેઠકો દક્ષિણ ગુજરાત અને 1 મધ્ય ગુજરાતમાંથી છે. વિધાનસભામાં હાલની પરિસ્થિતિ અને સ્થિતિ અંગેનો ચિતાર જોઈએ તો 182 ધારાસભ્યો ધરાવતી વિધાનસભામાં હાલ 172 ધારાસભ્યો છે જેમાં ભાજપના 103 અને કોંગ્રેસ પાસે 65 બેઠકો છે. આ સિવાય 2 ધારાસભ્યો ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને 1 ધારાસભ્ય એન.સી.પી અને 1 અપક્ષ ધારાસભ્ય છે. હાલ વિધાનસભાની 10 બેઠકો ખાલી છે, જેમાંથી 8 બેઠકો પર પેટાચૂંટણી થવા જઈ રહી છે. જ્યારે અન્ય 2 બેઠકો દ્વારકા અને મોરવાહડફનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે હવે પેટાચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ રાજકીય પાર્ટીઓએ મતદારોને રીઝવવા માટે પોતાની કમર કસી રહી છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પોતાની પાર્ટી ચૂંટણી માટે તૈયાર હોવાનું જણાવ્યું છે. અમિત ચાવડાએ કહ્યું કે, પ્રજાને ગેરમાર્ગે દોરનાર લોકોને હવે મતદારો જ જાતે સબક શીખવાડશે તે બાબત ખૂબ નિશ્ચિત છે.
ગુજરાત પેટાચૂંટણીના માંડવે કોંગ્રેસ ક્યાં?
એક તરફ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે કપરાડા વિધાનસભાની પેટાચૂંટણીના નિરીક્ષકોની બેઠક દરમિયાન ત્રણ નામોની પેનલ હાલ સબમિટ કરવામાં આવી હોય તેવું જાણવા મળી રહ્યું છે. જેમાં હરેશ પટેલ વસંત પટેલ અને સોમા બાત્રીના નામ પ્રદેશ નેતાને સોંપવામાં આવ્યા છે. જીતુ ચૌધરી પછી બીજી કેડરના નેતા ન હોવાથી કોંગ્રેસ માટે બેઠક ટફ હોવાની સ્થિતિ જણાતાં કોંગ્રેસના નેતાઓએ આડકતરો સ્વીકાર કર્યો છે જ્યારે લીમડી બેઠકની ટિકિટ માટે કોંગ્રેસમાં ખેંચતાણ જોવા મળી રહી છે. સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેખાઈએ લીમડી બેઠક માટે દાવેદારી કરી ત્યારે સ્થાનિક વિસ્તારમાં સારો ઘરોબો અને મારગ સંસ્થા દ્વારા થયેલા કામોના આધારે દાવો કરવામાં આવી રહ્યો છે. લીમડી બેઠક પર કલ્પનાબેન મકવાણા સંજય મકવાણા ચેતન ખાચર અને ભગીરથસિંહ રાણાની પેનલ તૈયાર કરવામાં આવી છે. જ્યારે સ્થાનિક આગેવાનો લાલજી દેસાઈનો કરી રહ્યા છે વિરોધ ત્યારે જોવું રહ્યું કે લીમડીની બેઠક પર કોણ પોતાની દાવેદારી નોંધાવી શકે છે.કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, અમારી 8 બેઠકો પર જીત નિશ્ચિત છે કારણ કે કોંગ્રેસ પક્ષ પ્રજા સમક્ષ પક્ષપલટો કરનારા ગદ્દારોની વાતો લઈને પહોંચી છે. પ્રજા પણ પક્ષપલટુ કરનાર નેતાઓ વિશે જાણી ગઈ છે એટલે કે અમારે કંઈ કરવાની ખાસ જરૂર રહી નથી. હવે માત્ર પ્રજા જ ભાજપ સબક શીખવાડશે અને અમે 8 બેઠકો પર જીત સાથે ફરી સરકાર સામે નવો મોરચો માંડીશુ. ત્યારે ભાજપ અને કોંગ્રેસ હવે એડીચોટીનું જોર લગાવી રહી છે જોકે જોવાની બાબત એક પણ છે કે કોરોના મહામારી વચ્ચે જ્યારે પેટાચૂંટણી થવા જઈ રહી છે ત્યારે પ્રજા કોની સાથ આપે છે અને કોને સબક શીખવાડે છે.

ABOUT THE AUTHOR

...view details