ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિગંભીર હોવાનું હાઈકોર્ટનું તારણ

રાજ્યમાં કોરોનાની વકરેલી સ્થિતિના કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ હોવાનું હાઇકોર્ટે નોંધ્યું હતું. રાજ્યમાં કોરોનાના વધતા આંકડા, ઈન્જેકશનની અછત, હોસ્પિટલોમાં બેડની સંખ્યા અને સ્મશાન ગૃહોની સ્થિતિના મુદ્દાને હાઈકોર્ટે સુઓમોટો અને જાહેર હીતની અરજી ગણી આ કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવા આદેશ કર્યો છે.

By

Published : Apr 11, 2021, 10:08 PM IST

Updated : Apr 12, 2021, 1:50 PM IST

રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિગંભીર હોવાનું હાઈકોર્ટનું તારણ
રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિગંભીર હોવાનું હાઈકોર્ટનું તારણ

  • રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિગંભીર હોવાનું કોર્ટનું તારણ
  • આ કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવા આદેશ
  • રાજ્યમાં કોવિડ-19 મેેનેજમેન્ટમાં સરકારની કામગીર પર હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલ
  • સોમવારે ચીફ જસ્ટીસના વડપણવાળી બેન્ચ કરશે સુનવણી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસને લઈ આવતીકાલે એટલે કે 12 એપ્રિલે ગુજરાત હાઇકોર્ટે સુનાવણી હાથ ધરશે. એક તરફ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ સ્મશાનોમાં પણ અંતિમદાહ માટે મૃતકોના સ્વજનોએ વેઇટિંગ કરવું પડી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના વધતા આંકડા, ઈન્જેકશનની અછત, હોસ્પિટલોમાં બેડની સંખ્યા અને સ્મશાન ગૃહોની સ્થિતિના મુદ્દાને હાઈકોર્ટે સુઓમોટો અને જાહેર હીતની અરજી ગણી આ કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવા આદેશ કર્યો છે.

સુઓમોટો અને જાહેર હીતની અરજી 1
સુઓમોટો અને જાહેર હીતની અરજી 2

આ પણ વાંચોઃ રાજ્યમાં સતત બીજા દિવસે થયો કોરોના બ્લાસ્ટ, 5 હજારથી વધુ કેસ નોંધાયા

ચીફ જસ્ટીસના વડપણવાળી બેન્ચ આ મુદ્દે સુનાવણી કરશે

રાજ્યમાં કોવિડ-19 મેેનેજમેન્ટમાં સરકારની કામગીર પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ આવતીકાલે સોમવારે ચીફ જસ્ટીસના વડપણવાળી બેન્ચ આ મુદ્દે સુનાવણી હાથ ધરશે. ગત કેટલાક સમયથી જે રીતે અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે, તેને જોતા સ્થિતી વધુ ગંભીર હોવાનું કોર્ટે તારણ મેળવ્યું છે.

સુઓમોટો અને જાહેર હીતની અરજી 3
સુઓમોટો અને જાહેર હીતની અરજી 4
Last Updated : Apr 12, 2021, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details