- ગુજરાત હાઈકોર્ટ સુઓમોટો પિટિશનમાં કેન્દ્ર સરકારનું સોગંદનામું
- 2 મેના રોજ વડાપ્રધાનની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક મળી
- મેડિકલ ઓક્સિજનની વધતી જરૂરિયાતો અંગે કરાઈ સમીક્ષા
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 મેના રોજ કરેલી બેઠકમાં નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટમાં રૂપાંતર કરવાની પ્રગતિ અંગે સમીક્ષા કરી હતી. કોવિડ-19 રોગચાળાની પરિસ્થિતિ વચ્ચે તબીબી ઓક્સિજનની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે રૂપાંતરની શક્યતા અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત હાલની અને આગામી સમયની જરૂરિયાતોને જોઈ ઓપરેશન સમુદ્ર સેતુ 2 અંતર્ગત 7 ભારતીય નૌકા જહાજો જેમાં કોલકાતા, કોચી, તલવાર, તાબર, ત્રિકંદ, જલાશ્વા અને એરાવતને ઓક્સિજનથી ભરેલા ક્રિઓજેનિક કન્ટેનર અને સંકળાયેલ તબીબી ઉપકરણોની શિપમેન્ટ માટે તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ રેમડેસીવીર ઉપલબ્ધ કરાવવા હાઇકોર્ટની સરકારને તાકીદ, બે દિવસ બાદ ફરી સુનાવણી