ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: ટ્યુશનથી પરત ફરી રહેલા 2 વિદ્યાર્થીઓ ટ્રેનની અડફેટે આવ્યા, એકનુ મોત - Jabalpur Somnath Express

અમદાવાદના મણિનગર વિસ્તારમાં 6 વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન તેઓ ગોરધન વાડી પાસેથી રેલવે ક્રોસિંગ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે 2 વિદ્યાર્થીઓ ટ્રેનની અડફેટે આવ્યાંં હતા, જેમાંથી એકનું મોત થયું હતું અને એક ઘાયલ થયો હતો. બનાવની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી અને કાર્યવાહી શરૂ કરી હતી.

ટ્યુશનથી પરત ફરી રહેલા 2 વિદ્યાર્થીઓ ટ્રેનની અડફેટે આવ્યા
ટ્યુશનથી પરત ફરી રહેલા 2 વિદ્યાર્થીઓ ટ્રેનની અડફેટે આવ્યા

By

Published : Jan 26, 2021, 10:41 PM IST

  • ટ્યુશન ક્લાસથી પરત ફરી રહેલા 2 વિદ્યાર્થીઓ ટ્રેનની અડફેટે આવ્યાં
  • 6 વિદ્યાર્થીઓ સાથે રેલવે ક્રોસિંગ ક્રોસ કરી રહ્યાં હતા
  • ટ્રેનની અડફેટે આવતા 1નું મોત અને 1 ઘાયલ

અમદાવાદઃ શહેરના મણિનગરમાં 6 વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસથી પરત ફરી રહ્યા હતા, ત્યારે મણિનગર ક્રોસિંગ થઈને તેઓ ઘરે પરત જઈ રહ્યા હતા, ત્યારે જબલપુર સોમનાથ એક્સ્પ્રેસ ટ્રેન પણ ત્યાંથી પસાર થઈ હતી, તેવામાં વિદ્યાર્થીઓ પૈકી 4 વિદ્યાર્થીઓએ રેલવે ક્રોસ કરી દીધો હતો, જોકે, 2 વિદ્યાર્થીઓએ ક્રોસ કરવાનું બાકી હતું તે દરમિયાન તેઓ ક્રોસ કરવા જતા ટ્રેનની અડફેટે આવ્યાં હતા.

ટ્યુશનથી પરત ફરી રહેલા 2 વિદ્યાર્થીઓ ટ્રેનની અડફેટે આવ્યા

ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

આ ઘટનાની જાણ થતાં ખોખરા પોલસ ઘટના સ્થળે પહોંચી હતી. સાથે 108 પણ સ્થળ પર પહોંચી હતી. આ ઘટનામાં એક બાળકનું સ્થળ પર જ મોત થયું હતું અને એક બાળક ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details