- બીયુ પરમિશન મુદ્દે એએમસી સામે ગુજરાત હાઈકોર્ટનું સખ્ત વલણ
- જો ટેક્સ ઉઘરાવી શકો તો કાર્યવાહી કેમ નથી કરી શકતાં?
- ટેક્સ ઉઘરાવો ત્યારે કઈ રીતે બધી માહિતી હોય છે
અમદાવાદઃ રાજ્યમાં ફાયરસેફ્ટીના અભાવે આજે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન પર સુનાવણી કરવામાં આવી હતી. કોટે મનપાને જણાવ્યું છે કે માત્ર ખાનગી રહેણાક, ઉદ્યોગગૃહો અને, કોમર્શિયલ બિલ્ડીંગની વિગતો જ નહીં, પણ સરકારી ઈમારતો અને સરકારી શાળાઓની ફાયર સેફટી અંગેની વિગતો પણ રજૂ કરવી પડશે. વધુમાં અમદાવાદ મનપાએ શહેરમાં કેટલા એકમો પાસે ફાયર સેફટી અને બીયુ પરમિશન નથી તે અંગેનો આંકડો ન હોવાનું જણાવ્યું તો કોર્ટે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે જો ગેરકાયદે વપરાશકર્તાઓ પાસેથી ટેક્સ લો છો તો શું તમને ખબર નથી કે તેની પાસે બીયુ પરમિશન છે કે નહીં? જો ટેક્સ ઉઘરાવી શકો તો કાર્યવાહી કેમ નથી કરી શકતા? વધુમા કોર્ટે કોર્પોરેશનને કહ્યું કે તમે જ કહો છો કે તમામ બિલ્ડિંગના લગતી વિગતો ઘણા બધા સેંકડો પાનામાં હશે તો એનો મતલબ એ છે કે તમારા અધિકારીઓએ કોર્ટના આદેશનું પાલન કરવાની તસ્દી લીધી નથી. જોકે આની સામે એએમસીનો પક્ષ રજૂ કરતા એડવોકેટ મિહિર જોશીએ જણાવ્યું હતું કે અમે આ ફાયર NOC અને BU પરમિશન ન હોય અને કોઈ અધિકારીની સંડોવણીથી ગેરકાયદે તે ચાલતી હશે તો અમે અમારા અધિકારી ઉપર પણ કડક કાર્યવાહી કરીશું.
શું સીલ કરવાથી સમસ્યાનું સમાધાન આવી જશે? - કોર્ટ
કોર્ટમાં ફાયર સેફ્ટી અને બીયુ પરમિશનને લઈને ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થતાં અમદાવાદ મહાનગરપાલિકાએ જુદા જુદા બોર્ડમાં જેમની પાસે બીયુ પરમિશન અને ફાયરસેફ્ટી ન હોય તેવા એકમોને સીલ મારવાની કામગીરી હાથ ધરી છે. છેલ્લા કેટલાક સમયમાં ઘણા બધા એકમોને સીલ પણ કરવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે આજે કરેલી સુનાવણીમાં મનપાની આ કામગીરી ઉપર કેટલાક સવાલો ઉભા કર્યા હતાં. કોર્ટે તેમને પૂછ્યું હતું કે શું સીલ કરવાથી સમસ્યાનું સમાધાન આવી જશે ત્રણ મહિના એકમને સીલ કર્યા બાદ તેની સામે શું પગલાં લેવામાં આવશે? એએમસીએ બીયુ પરમિશન વગર સીલ કરેલી બિલ્ડીંગનો શું મતલબ છે? કોટે અહીં મનપાને સૂચન આપ્યું હતું કે લોકો સરળતાથી ઉપર પરમિશન મેળવી શકે તેવા પગલાં લેવા જોઈએ. તમે સીલ કરેલા બિલ્ડીંગ કે દુકાનના માલિકને બીયુ અને એન.ઓ.સી મળે તે માટે મદદ કરો. ફરીથી કોઈ PIL કરશે. આ બધું ક્યાં સુધી ચાલશે?
આ પણ વાંચોઃ ડોમિનિકામાં જ રહેશે કૌભાંડી ભાગેડુ મેહુલ ચોક્સી, 2 જૂને થશે સુનાવણી