- રાજ્યમાં વણસી રહી છે કોરોનાની સ્થિતિ
- વધી રહ્યો છે કોરોનાથી મૃત્યુઆંક
- મૃતદેહથી ઉભરાઇ રહ્યાં છે સ્મશાન
ન્યૂઝ ડેસ્ક:રાજ્યમાં કોરોનાના કેસ દિવસે ન વધે તેટલા રાતે વધી રહ્યાં છે અને રાતે ન વધે તેટલા દિવસે વધી રહ્યાં છે અને આ રોગના કારણે દર્દીઓના મૃત્યુદર પણ વધી રહ્યો છે. અત્યાર સુધી રાજ્ય સરકાર સામે કોરોનાને રોકવા અને રસીકરણ ઝડપથી વધારવાનો પડકાર હતો પણ જે રીતે કોવિડ-19ના દર્દીઓનો મૃત્યુઆંક વધી રહ્યો છે. તેના કારણે એક ચિંતાની સ્થિતિ સર્જાઇ રહી છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સ્મશાનમાં મૃહદેહોની લાંબી કતાર જવો મળી રહી છે. થોડી અજુગતી લાગે તેવી વાત છે પણ ગુજરાતના અનેક સ્મશાનમાં કીડીયારું ઉભરાય તે રીતે લોકો પોતાના સ્વજનના મૃતદેહ સાથે જોવા મળે છે. કલાકોની લાંબી રાહ જોયા બાદ તેમને પોતાના આપ્તજનની અંતિમક્રિયાની તક મળે છે.
જમીન પર મૃતદેહની લાંબી કતાર
સ્મશાનની આ વિષમ સ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી પહેલી ક્રમે આવે છે સુરત શહેર. સુરત શહેરમાં બિલાડીના ટોપની જેમ કોરોનાના કેસ તો જોવા મળી જ રહ્યાં છે સાથે અહીંયા દર્દીઓનો મૃત્યુઆંક પણ ઉંચો છે. એક અહેવાલ પ્રમાણે અહીંયા દરરોજ 100 લોકોના મોત થાય છે. જેની સામે શહેરમાં જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ, રામ ઘેલા સ્મશાન ભૂમિ અને કતાર ગામ અશ્વિનીકુમાર સ્મશાન ભૂમિમાં આવી રહેલા છે. ઉંચા મૃત્યુઆંકના કારણે આ ત્રણેય સ્મશાનમાં લોકોને અંતિમ ક્રિયા માટે ઓછામાં ઓછો અઢીથી 3 કલાકની રાહ જોવી પડે છે. આ સ્થિતિમાં અશ્વિનીકુમાર સ્મશાન ભૂમિથી આવેલા દ્રશ્યો હચમચાવી દેનારા હતાં. જ્યાં રીતસર જમીન પર મૃતદેહોની લાંબી કતાર જોવા મળી હતી. આ હૃદયદ્રાવક દ્રશ્યો અંગે એકતા ટ્રસ્ટ કે જે છેલ્લા એક વર્ષથી કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓના અંતિમ સંસ્કાર કરે છે તેમના અબ્દુલ મલબારીએ જણાવ્યું હતું કે, WHOની ગાઇડલાઇન પ્રમાણે કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓના અંતિમ સંસ્કાર ગેસ ચેમ્બરમાં જ કરવામાં આવે છે. જેની સંખ્યા ઓછી છે. તમામ સ્માશન મૃતદેહથી ઉભરાઇ રહ્યાં છે. એક મૃતદેહ સંપૂર્ણ સંસ્કાર માટે દોઢ ક્લાક જેટલો સમય લાગે છે. શહેરમાં રોજના દર્દીઓનો મૃત્યુઆંક 100 છે. જેથી તેમના પરીજનનોને ક્લાકો સુધી આપ્તજનોને અગ્નિસંસ્કાર માટે રાહ જોવા પડી રહી છે.
વધુ વાંચો:ગુજરાત બન્યુ વુહાન, કોરોનાના રેકોર્ડબ્રેક 4,021 પોઝિટિવ કેસ નોંધાયા