ગુજરાત

gujarat

ETV Bharat / city

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: સરકારી ચોપડે મૃતકોના મોતનું કારણ આગના બદલે કોરોના દર્શાવાયું - એએમસી

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ગઈકાલે આગ લાગવાના કારણે આઈસીયુમાં ભરતી કરેલ 8 દર્દીઓના મોત નીપજ્યાં હતાં. જેના પર પોલીસે અકસ્માતે મોતની કલમ નોંધીને તપાસ હાથ ધરી હતી. આજે સરકારી ચોપડે મૃત્યુનું કારણ આગના બદલે કોરોના વાયરસ દર્શાવાયું છે.

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: સરકારી ચોપડે મૃતકોના મોતનું કારણ આગના બદલે કોરોના દર્શાવાયું
શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: સરકારી ચોપડે મૃતકોના મોતનું કારણ આગના બદલે કોરોના દર્શાવાયું

By

Published : Aug 7, 2020, 7:10 PM IST

અમદાવાદ: અમદાવાદમાં ગઈકાલે રાત્રે ૩ વાગ્યાની આસપાસ આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં આઈસીયુમાં ભરતી કરેલ પાંચ પુરુષો અને ત્રણ મહિલાના મૃત્યુ થયાં હતાં. આ મામલે વધુ તપાસ હાથ ધરતાં હોસ્પિટલ પાસે ફાયર વિભાગનું એન.ઓ.સી પણ ન હોવાનું સામે આવ્યું હતું. કોવિડ કેર હોસ્પિટલ જાહેર કરવાના મામલે પહેલાંથી જ તપાસ કર્યા વગર જાહેર કરવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી પણ સામે આવી હતી.

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: સરકારી ચોપડે મૃતકોના મોતનું કારણ આગના બદલે કોરોના દર્શાવાયું

હોસ્પિટલની બેદરકારીનો ભોગ બનીને મીનિટોમાં ભસ્મીભૂત થઈ ભયાનક આગમાં મોતને ભેટેલાં 8 દર્દીઓના પરિવારજનોને આઘાત લાગે તેમ આજે તંત્ર દ્વારા વધુ એક શરમજનક કૃત્ય કરવામાં આવ્યું છે, જેમાં તંત્ર દ્વારા સરકારી ચોપડે તમામ દર્દીઓના મોતનું કારણ કોરોના હોવાનું નોંધાયું છે.

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: સરકારી ચોપડે મૃતકોના મોતનું કારણ આગના બદલે કોરોના દર્શાવાયું
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મુજબ ફાયર વિભાગ હોસ્પિટલો અને અન્ય મિલકતોને ફાયર માટેનું એનોસી ઇશ્યૂ કરતું હોય છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગો દ્વારા જ પ્રાઇવેટ હોસ્પિટલ સાથે કરાર કરીને તેને કોવિડ હોસ્પિટલ જાહેર કરાતી હોય છે. પરંતુ સવાલ એ છે કે શું હોસ્પિટલોમાં ચકાસણી કર્યા વગર જ તેને કોવિડ સેન્ટર બનાવી દેવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details