ગુજરાત

gujarat

ETV Bharat / city

માઁ ઉમિયાના મંદિરનો શિલાયાન્સ કાર્યક્રમ યોજાયો, મુખ્ય પ્રધાન સહિતના મહાનુભાવો રહ્યા હાજર - અમદાવાદના તાજા સમાચાર

અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી મોટા માઁ ઉમિયાના મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. આ ઉપરાંત હિન્દુ ધર્મના અનેક સંપ્રદાયના સાધુ સંતો પણ હાજર રહ્યા હતા.

ETV BHARAT
માઁ ઉમિયાના મંદિરનો શિલાયાન્સ કાર્યક્રમ યોજાયો

By

Published : Feb 29, 2020, 11:03 PM IST

અમદાવાદ: જાસપુર ખાતે વિશ્વના સૌથી મોટા માઁ ઉમિયાના મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. આ મંદિર અનેક રીતે અનોખું છે. જેમ કે, આ મંદિર 431 ફૂટ જેટલું ઊંચું હશે. મંદિરના ટોપ વ્યુ ગેલેરીમાંથી સમગ્ર અમદાવાદના દર્શન થઇ શકશે.

માઁ ઉમિયાના મંદિરનો શિલાયાન્સ કાર્યક્રમ યોજાયો

માઁ ઉમિયાના મંદિરના નિર્માણ માટે જર્મનીથી આર્કિટેક્ટ બોલાવવામાં આવ્યા છે. આ મંદિર 100 વીઘા જમીનમાં ફેલાયેલું હશે. આ મંદિરના પ્રોજેક્ટ પાછળ અંદાજે 1,000 કરોડનો ખર્ચ થવાનો છે. માઁ ઉમિયાનું આસન મંદિરના ધરાતળથી 52 ફૂટ જેટલું ઉચું સ્થાપિત કરવામાં આવ્યું છે.

આ મંદિરનું નિર્માણ પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ મંદિર ભારતના 51 શક્તિપીઠો પછીનું કદાચ 52મું શક્તિપીઠ બની રહે તો નવાઈ નહીં.

ABOUT THE AUTHOR

...view details