ગુજરાત

gujarat

By

Published : Aug 10, 2019, 6:45 AM IST

ETV Bharat / city

દેશભક્તમાંથી પરમાર અટક કરી હોવાની શૈલેષ પરમારની હાઈકોર્ટમાં જુબાની

અમદાવાદઃ વર્ષ 2017 રાજ્યસભા અહેમદ પટેલની જીતને પડકારતી રિટ મુદ્દે શુક્રવારે જસ્ટીસ બેલા ત્રિવેદીની કોર્ટમાં દાણીલીમડાના કોગ્રેસી ધારાસભ્ય શૈલેષ પરમાર જુબાની આપવા આવ્યા હતા જેમાં તેમણે જુબાની આપી હતી કે તેમણે અટક દેશભકતમાંથી પરમાર કરી છે અને નામ શંશાકમાંથી શેલેષ કર્યું છે. આજ રીતે દિકરાનું નામ પણ બદલ્યું છે અને બધી માહિતી ગેઝેટમાં રજુ કરવામાં આવી છે. આ મામલે વધુ સુનાવણી મંગળવારના રોજ હાથ ધરવામાં આવશે.

શૈલેષ પરમારની હાઈકોર્ટમાં જુબાની

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જુબાનીમાં શૈલેષ પરમાર દ્વારા જણાવાયું હતું કે, મતપત્રક છીનવાના પ્રયાસ બદલ જે બાબલ થયો હતો તે વીડિયોમાં ટેમ્પરિંગની શંકાને ધ્યાનમાં રાખીને પ્રિસાઈડિંગ ઓફિસરને વીડિયોની FSL તપાસની માંગ કરતી અરજી કરી હતી જેનો 8મી ઓગસ્ટ સુધી કોઈ જ પત્ર વ્યવહાર ન કર્યો હોવાની કબુલાત કરી હતી. શૈલેષ પરમારે જુબાનીમાં વધુમાં જણાવ્યુ હતુ કે આ ચૂંટણીમાં 4 મત પત્રક સામે વાંધા લેવાયા હતા જેમાં 2 વાંધા ભાજપ અને 2 કોંગ્રેસના પ્રતિનિધિએ લીધા હતા. રાઘવજી પટેલ અને ભોળાભાઈએ મતપત્રક જાહેરમાં બતાવવાની કોશિશ કરેલી તે સામે મેં ચૂંટણી એજન્ટ તરીકે, અર્જુન ભાઈ પોલીગ એજન્ટ તરીકે અને શક્તિસિંહએ ઓથોરાઈઝડ એજન્ટ તરીકે વાંધા લીધા હતા. ભાજપનો વાંધો મારા મત સામે હતો જોકે આ માત્ર મતદાન ચાલું હતું ત્યાર સુધીનું હતું . મતદાન કર્યું ત્યારે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. ચારે વાંધાજનક મત પત્રક જે તે વખત મતપેટીમાં નખાઈ ગયા હતા એ વાત સાચી. મતપત્રક મતપેટીમાં નાખ્યા પછી લેખિત અરજી આપી જેમાં પરિસાઈડિંગ ઓફિસરે રિસીવ કરીને સમય ટાંકયો ન હતો પરંતુ ઓફિસરે કહ્યું હતું કે વિડીયોગ્રાફી જોયા પછી નિર્ણય લેવામાં આવશે.

અડાલજ અને કંથારીયાની જમીનની માલિકી વિશે જુબાની આપતા શૈલેષ પરમારે કહ્યું કે મિલ્કતમાં જે શંસાક મનહર ભાઈ પરમાર લખ્યું છે એ મારું જ નામ છે. શાળામાં મારા પિતાએ મારું નામ શશાંક રાખ્યું હતું. બીજું લાડકું નામ શૈલેષ હતું. મારા પિતાના અવસાન પછી ગેજેટમાં નામ ફેર કરીને શશાંકની જગ્યાએ શૈલેષ કર્યું હતું. પિતાના નામમાં પણ મનહરભાઈ અને મનુભાઈ એમ 2 નામ ચાલે છે. જીવનકાળમાં કોઈ ક્રિમિનલ કેસ ન હોવાની શૈલેષ પરમારે કોર્ટમાં જુબાની આપી હતી જોકે 2017ની વિધાનસભાની ચુંટણીના એફિડેવિટમાં એક કેસ ચાલું હોવાનું દર્શાઈ આવતા યાદ નથી તેવી દલીલ પરમાર તરફે કરવામાં આવી હતી.

કોર્ટે અન્ય સાક્ષીઓ કે જેમની જુબાની બાકી છે એ અંગે પુછતા અહેમદ પટેલના વકીલ પંકજ ચાંપાનેરીએ કહ્યું કે આમ તો મોટાભાગની સાક્ષીઓની જુબાની પૂર્ણ થઈ છે પરતું દિલ્લીથી સૂચના મળે તે પ્રમાણે આગામી દિવસોમાં અમે કોર્ટ સમક્ષ જાણ કરીશું. આ મામલે વધુ સુનાવણી શુક્રવારે હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details