ગુજરાત

gujarat

ETV Bharat / city

આઈશા આત્મહત્યા કેસમાં સેસન્સ કોર્ટેનો મોટો ચુકાદો, જાણો શું આપવામાં આવી સજા

અમદાવાદમાં સાબરમતી નદીમાં ઝંપલાવી આઈશાએ આત્મહત્યા (Ayesha suicide case)કરી હતી. જેમાં આજે નામદાર સેસન્સ કોર્ટે આરોપી પતિને 10 વર્ષ સજા ફટકારી છે. યુવતીએ પતિ અને સાસરી પક્ષથી કંટાળી સાબરમતી નદીમાં આઈશાએ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું.

By

Published : Apr 28, 2022, 2:12 PM IST

Updated : Apr 28, 2022, 6:38 PM IST

આઈશા આત્મહત્યા કેસમાં સેસન્સ કોર્ટેનો મોટો ચુકાદો
આઈશા આત્મહત્યા કેસમાં સેસન્સ કોર્ટેનો મોટો ચુકાદો

અમદાવાદઃ શહેરના આઈશા આત્મહત્યા કેસમાં(Ayesha suicide case) સેશન્સ કોર્ટે તેના પતિ આરિફને 10 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે સાસરીયા દ્વારા ત્રાસ અપાતો હોવાની પણ નોંધ લીધી છે. જેથી 10 વર્ષની જેલની સજા સાથે એક લાખનો દંડ પણ ફટકાર્યો છે. પ્રોશીક્યુશન દ્વારા 23 જેટલા સાક્ષીઓની તપાસવામાં આવ્યા છે અને તે તમામને પુરાવાઓને આધાર રાખીને આ સજા ફટકારવામાં આવી છે.

આઈશા આત્મહત્યા કેસ

પુરાવાઓને આધાર રાખીને આ સજા -આ સમગ્ર કેસ મુદ્દે સરકારી વકીલે વર્ષા બહેન રાવલે જણાવ્યું કે, કોર્ટ દ્વારા આયેશાના પતિને 10 ની સજા ફટકારવામાં આવી છે બધા જ પુરાવાઓને ધ્યાનમાં રાખીને IPC કલમ 306 મુજબ 10 વર્ષની સજા ફટકારી છે અને એક લાખની દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પ્રોશીક્યુશન દ્વારા 23 જેટલા સાક્ષીઓની તપાસવામાં આવ્યા છે અને તે તમામને પુરાવાઓને આધાર રાખીને આ સજા ફટકારવામાં આવી છે.

આ પણ વાંચોઃઆઈશા આત્મહત્યા કેસ : આઇશાના પિતાએ લોકોને બખેડો ન કરવા કરી અપીલ

ઘરેલુ હિંસાનો ભોગ બનેલી યુવતી -કોર્ટે આ કેસમાં મહત્વનું અવલોકન હતું કે સમાજમાં ઘરેલુ હિંસા ઘટાડવા આરોપીને છોડી ન શકાય. તેની સાથે સાથે કોર્ટે આઈશાનો ગર્ભપાત થયો હોવાની પણ કોર્ટે નોંધ લીધી છે. તેમજ ઘરેલુ હિંસાનો ભોગ બનેલી યુવતીની આત્મહત્યાને દુઃખદ ગણાવી હતી. કોર્ટે ચુકાદામાં વાઇરલ વીડિયો અને વોઇસ સ્પેક્ટ્રોગ્રાફિકને મહત્વનો પુરાવો ગણ્યો છે.

પતિ આરીફને દોષિત જાહેર કર્યો -આત્માહત્યા કરતા પહેલા આયેશા એ તેના પતિ આરીફ સાથે 70 થી 72 મિનિટ વાત કરી હતી જેમાં તેના આયેશા ને આત્મહત્યા કરવા દુષપ્રેણ્યા આપી હોવાનું સાબિત થાય છે. સાથે દોષિત આરીફે આયેશા ને મારમારતા તેનું ગર્ભપાત પણ થયું હતું તે મેડિકલ રિપોર્ટને પણ કોર્ટ સજાનું એલાન કરતા ધ્યાને લીધા છે. સેશન્સ કોર્ટે આઈશાના પતિ આરીફને દોષિત જાહેર કર્યો છે.

આ પણ વાંચોઃઆઈશા આત્મહત્યા કેસઃ આરીફને જામીન ના આપવા આઈશાના પરિવારજનોની કોર્ટમાં રાજૂઆત

સાબરમતી રિવરફ્રન્ટ પર વીડિયો બનાવ્યો -અમદાવાદમાં માતાપિતા સાથે રહેતી આઈશા નામની પરિણીતાએ સાબરમતી રિવરફ્રન્ટ પર વીડિયો બનાવીને આપઘાત કરી લીધો હતો.આપઘાત કરતા પહેલા આઈશાએ હસતા મોઢે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો તેણીએ તેના પતિને મોકલ્યો હતો.આપઘાત કરવા પહોંચેલી આયેશાને તેના પતિએ કહ્યું હતું કે, આપઘાત પહેલા વીડિયો બનાવીને મોકલી દે જે. આ અવલોકન પણ કોર્ટે ટક્યું હતું.

આઈશાએ પોતાની આપવિતિ લખી હતી -આઈશાએ આપઘાત કરતા પહેલા..આઈશાની ચિઠ્ઠી પણ લખી હતી મળી.જે આઇશાએ મરતા પહેલા તેના પતિ આરીફને લખી હતી. આ ચિઠ્ઠીમાં આઈશાએ પોતાની આપવિતિ લખી હતી. આઇશાએ આ પત્રમાં તેનો પતિ તેના પર ખોટા આરોપ લગાવતો હોવાની વાત કરી છે. તેમજ તેના પેટમાં આરીફનું બાળક હોવાનું પણ લખ્યું હતું.

આઇશા આત્મહત્યા કેસની સમગ્ર વિગતો -27 ફેબ્રુઆરી, 2021 અમદાવાદ : શહેરમાં એક પરિણીત યુવતીએ સાબરમતી નદીમાં ઝંપલાવી મોત વ્હાલું કર્યું હતું. તેમને આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે પોતાના શબ્દોથી હસતા મોઢે દુઃખ વ્યક્ત કરતી જોવા મળે છે અને છેલ્લા શબ્દોમાં દુનિયાને અલવિદા કહીં નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી.

આઇશાનો પતિ અને સાસરિયા દહેજ બાબતે ત્રાસ આપતા હતા -આ અંગે વટવામાં રહેતા અને સિલાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આઇશાના પિતા લિયાકતઅલી મકરાણીએ જણાવ્યું હતું કે, મારી પુત્રી આઇશાના લગ્ન 2018માં રાજસ્થાનમાં રહેતા આરિફખાન સાથે થયા હતા. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયા દહેજ બાબતે સતત ત્રાસ આપતા હતા. આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ-સસરા સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ પણ ચાલી રહ્યો છે.

તારે મરવું હોય તો મરી જા અને મને વીડિયો મોકલી દેજે -વર્ષ 2019થી આઇશા પિયરમાં રહીને બેંકમાં મ્યૂચ્યુઅલ ફંડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી. ગત ગુરુવારે આઇશા નોકરીએ ગઈ હતી. જ્યાંથી બપોરે તેને પિતાને ફોન કરીને આરિફને ફોન કર્યો હોવાનું જણાવ્યું હતુ. આઇશાએ પિતાને જણાવ્યું કે, આરીફ મને સાથે લઈ જવા માંગતો નથી. હું આત્મહત્યા કરી લઈશ તેવું કહેતાં, આરિફે આઇશાને કહ્યું હતું કે, તારે મરવું હોય તો મરી જા અને પૂરાવાના ભાગરૂપે મને વીડિયો મોકલી દેજે.

બેગ અને ફોન રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળ્યો -જે બાદ આઈશા રિવરફ્રન્ટ પર પહોંચી હતી. આઇશા કોઈ અગમ્ય પગલું ન ભરે તે માટે તેની માતાએ સમજાવી હતી અને માતા-પિતા તેને શોધવા નીકળ્યા હતા. આ દરમિયાન આઇશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે, બેગ અને ફોન રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યો છે. જેથી ત્યાં જઈને તપાસ કરી તો ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે નદીમાં સર્ચ કરી આઇશાનો મૃતદેહ બાહર કાઢ્યો હતો.

પતિ સામે દુષપ્રેરણાનો ગુનો નોંધાયો -રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આઇશાના મોબાઈલમાં જોયું તો તેને એક વીડિયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આત્મહત્યા કરતાં પોલીસે આ મામલે વીડિયોના પૂરાવાના આધારે તેના પતિ સામે દુષપ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આઈશા લડાઈઓ કે લિયે નહીં બની…!

“હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હૈ, આઇશા આરિફખાન…

ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું…

ઇસમે કિસીકા દબાવ નહીં હૈ, અબ બસ ક્યા કહે? યે સમજ લિજીયે કે ખુદાકી જિંદગી ઇતની હોતી હે...

ઔર મુઝે ઇતની જિંદગી બહોત સુકુન વાલી લગતી હૈ...

ઔર ડેડ કબ તક લડેંગે અપનો સે કેસ વિડ્રોલ કર દો...

આઇશા લડાઈઓ કે લીયે નહીં બની, પ્યાર કરતે હે આરિફ સે ઉસે પરેશાન થોડી કરેંગે? અગર ઉસે આઝાદી ચાહીએ તો ઠીક હૈ વો આઝાદ રહે...

ચલો અપની જિંદગી તો યહી તક હૈ...

મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મિલૂંગી ઉન્હેં કહુંગી કી કહાં ગલતી રહ ગઈ મેરે સે?

માં બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રહ ગઈ મુઝ મેં યા શાયદ તકદીર મેં...

મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું. અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે...

મુઝે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે... ચલો અલવિદા.”

'અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે', આત્મહત્યા કરતા પહેલા યુવતીના શબ્દો

'સમજ લિજીયે કે ખુદા કી ઝીંદગી ઇતની હોતી હે" -પરિણીતાએ જે વિડીયો બનાવ્યો હતો તેમાં જણાવ્યું છે કે, "હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન...ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું... ઇસમે કિસીકા દોર ઔર દબાવ નહિ હે અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયે કે ખુદાકિ ઝીંદગી ઇતની હોતી હે... ઔર મુજે ઇતની ઝીંદગી બહોત સુકુન વાલી લગતી હે. ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો, નહિ કરના, આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હે આરીફસે ઉસે પરેશાન થોડી કરેગે?"

અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે' -અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે વો આઝાદ રહે, ચલો અપની ઝીંદગી તો યહી તક હે. મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મીલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ?, મા-બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે, પર શાયદ કહી કમી રેહ ગઈ, મુજમે યા શાયદ તકદીર મેં, મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું, અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે.'

'મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે' -એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબબત કરની હે તો દો તરફા કરો, એક તરફા મેં કુછ હાસિલ નહીં હે. ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હે, એ પ્યારી સી નદી પ્રે કરતે હે કી વો મુજે અપને આભ મેં સમા લે, ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું, ઔર બહેતે રેહના ચાહતી હું કિસીકે લિયે નહિ રૂકના, મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે. ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચૂકી હું કાફી હે, થેંક્યું. મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે..ચલો અલવિદા.

પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ -જે બાદમાં ફરી આઇશાને લઈ જતાં ઝઘડો થયો હતો અનવ ફરી અમદાવાદ તેને પિયરમાં મૂકી જતા આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. બાદમાં આ આઇશા બેંકમાં મ્યુચ્યુલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી.

માતા પિતા તેને શોધવા નીકળ્યાં હતા -આઇશાની માતાએ કોઈ પગલું ન ભરે તે માટે સમજાવી હતી. બાદમાં માતા પિતા તેને શોધવા નીકળ્યાં હતા. થોડા સમય બાદ આઇશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે, બેગ અને ફોન ખોડિયાર નગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યો છે. રિવરફ્રન્ટ પર તપાસ કરતાં ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે નદીમાં તપાસ કરી એક મહિલાની એટલે કે આઇશાની મૃતદેહ બહાર કાઢ્યો હતો. આઇશાના મોબાઈલ ફોનમાં જોયું તો તેણે એક વીડિયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આત્મહત્યા કરતા પોલીસે આ મામલે વીડિયોના પૂરાવાના આધારે આઇશાના પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટના પોલીસનું નિવેદન -રિવરફ્રન્ટ યુવતી આપઘાત મામલે પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, 25 તારીખે આઇશા ઘરેથી નીકળી હતી, ત્યારે તેના સાસુ અને સસરા સાથે એટલે કે સાસરીમાં અણબનાવ બનતા તેને વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ આઇશા સાસરીમાં જવા તૈયાર નહોતી. આ મામલે તેના માતાપિતાએ તેને સમજાવી હતી, પરંતુ જ્યારે આઇશાએ આપઘાત કર્યો એ પહેલાં તેના પતિ આરીફ સાથે તેને ફોન પર વાત કરી હતી અને તેમાં તેને કહ્યું હતું કે હું આત્મહત્યા કરી લઈશ. જેથી આરીફે જણાવ્યું કે તારે મરવું હોય તો મરી જા, પરંતુ મરવાની વાત વીડિયોમાં મોકલજે. આ મામલે પોલીસના જણાવ્યા મુજબ પીડિતા પતિના ઘરે જવા માંગતી હતી, પરંતુ તેનો પતિ તેને ધરાર સ્વીકારવા તૈયાર ન હતો. જે કારણે આઇશાએ પોતાનો વીડિયો બનાવીને આત્મહત્યા કરી લીધી હતી.

Last Updated : Apr 28, 2022, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details