અમદાવાદીઓ દશેરા નિમિતે ફાફડા જલેબી આરોગવા તૈયાર - Ahmedabad latest news
અમદાવાદઃ અવનવા પકવાનો ખાવાના શોખીન ગુજરાતીઓ માત્ર તહેવારની રાહ જોતા હોય છે અને તેમાં જલેબી-ફાફડા ખાવાનો તહેવાર એટલે દશેરા. નવરાત્રીની પૂર્ણતાની સાથે જ દશેરાના દિવસે દેશભરમાં વિજયાદશમીની આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે. ત્યારે અમદાવાદ અને રાજ્યના મહત્વના શહેરોમાં ફાફડા-જલેબીની જયાફત સાથે જ દશેરાની ઉજવણી થશે. આ વર્ષે તેના ભાવોમાં 12 થી 15 ટકાનો વધારો નોધાયો છે અને કેટલાક વેપારીઓએ તો ફાફડાનો સ્ટોક ઉભો કરવાનું શરુ કરી દીધું છે.

વિજયાદશમીની ઉજવણી
અમદાવાદીઓ એક જ દિવસમાં લાખો રૂપિયાના ફાફડા-જલેબી આરોગીને દશેરાની ઉજવણી કરે છે. દશેરાનો પર્વ હોય અને ભોજનમાં ફાફડા જલેબીનું ખાણું ન હોય તો કેમ ચાલે. અમદાવાદમાં ફાફડા-જલેબીનુ ધૂમ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. જો કે, ફાફડા અને જલેબીના ભાવમાં ગત્ત વર્ષની સરખામણીએ વધારો થયો છે. ફાફડા રૂપિયા 440 પ્રતિ કિલોએ વેંચાય છે, જ્યારે જલેબીના ભાવમાં પણ વધારો થયો છે. જલેબી 560 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહી છે.
વિજયાદશમીની ઉજવણી