ગુજરાત

gujarat

ETV Bharat / city

શૌર્યનો રંગ ખાખી હોવો જોઈએ, 99 પોલીસકર્મીને મેડલ આપીને કર્યા સન્માનિત - Ahmedabad Police Ceremony 2022

અમદાવાદમાં પોલીસ ચંદ્રક સમારોહમાં 99 પોલીસકર્મીને મેડલ આપીને (Police medal ceremony in Ahmedabad) સન્માનિત કર્યા હતા. ત્યારે આ પ્રસંગે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શૌર્યનો રંગ ખાખી હોવો જોઈએ સુરક્ષાની બાબતે ગુજરાત દેશમાં અવ્વલ નંબર પર છે. (police chandrak alankaran samaroh in Ahmedabad)

શૌર્યનો રંગ ખાખી હોવો જોઈએ, 99 પોલીસકર્મીને મેડલ આપીને કર્યા સન્માનિત
શૌર્યનો રંગ ખાખી હોવો જોઈએ, 99 પોલીસકર્મીને મેડલ આપીને કર્યા સન્માનિત

By

Published : Sep 24, 2022, 8:51 AM IST

અમદાવાદ પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહ 2022નું ગુજરાત યુનિવર્સિટી કન્વેશન હોલ (chandrak alankaran samaroh in Ahmedabad) ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે જે પોલીસ કર્મચારીએ (Ahmedabad police) ઉત્કૃષ્ટ કામગીરી કરી .છે તેવા 99 પોલીસકર્મીને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પોલીસ પરિવાર સહિત તેમના (Gujarat Police Medal) ઘરના સ્વજનો પણ હાજર રહ્યા હતા.

અમદાવાદમાં પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહ 2022

મુખ્યપ્રધાન પટેલનું સંબોધન આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગુજરાતના જાંબાઝ અને બાહોશ પોલીસકર્મીઓને અભિનંદન આપ્યા હતા. તો સાથે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, પહેલા પ્રજાને ગમે તે વિસ્તારમાં ગમે તે થાય એવા ભયના માહોલ વચ્ચે પ્રજા જીવતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ બાદ ગુજરાતમાં અડધી રાત્રે પણ લોકો ગમે ત્યાં ફરી શકે છે. ગુજરાત પોલીસે અસામાજિક તત્વો અને ગુનેગારો અને આતંકવાદીઓ સામે સબક શીખવાડી ખૂબ સારી કામગીરી કરી છે. ગુજરાત પોલીસ સહિત દેશની તમામ પોલીસ દળ માટે વડાપ્રધાને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમની કામગીરીમાં તેમને સહાય થાય તેવી ટેકનોલોજી વિકસાવી છે.

99 પોલીસકર્મીને મેડલ આપીને કર્યા સન્માનિત

શૌર્યનો રંગ ખાખી ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શૌર્યનો રંગ ખાખી હોવો જોઈએ સુરક્ષાની બાબતે ગુજરાત દેશમાં અવ્વલ નંબર પર છે. ગુજરાતની સફળતા પાછળ સૌથી મોટું યોગદાન ખાખીનું છે. ત્યારે 2002 પહેલા ગુજરાતના વિસ્તાર વિવિધ ગુંડાઓને નામે ઓળખાતું હતું. ગુજરાત પોલીસે ડ્રગ્સ અને આતંકવાદ સામે ઘણી લડાઈ કરીને ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ત્યારે દેશમાં થતા સિરિયલ (Ahmedabad Police Ceremony 2022) બોમ્બ બ્લાસ્ટના નેટવર્કને તોડવાનું કામ ગુજરાત પોલીસે કર્યું છે.

પોલીસકર્મી

પોલીસકર્મીઓને કામ કરવામાં ઉત્સાહ ચંદ્રક મેળવનાર નિવૃત પોલીસ ઇન્સ્પેકટર પ્રદીપ વાઘેલાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ સારા કાર્યક્રમ કરવામાં આવે છે. આનાથી પોલીસકર્મીઓને કામ કરવામાં ઉત્સાહ આવે છે. જે લોકોએ સારી કામગીરી કરી છે તેને જે સન્માન આપવામાં આવે છે. તેનાથી પ્રેરાઈને બીજા કર્મીઓ પણ સારી કામગીરી કરવા માટે પ્રયાસ કરે છે. (police chandrak alankaran samaroh in Ahmedabad)

પોલીસકર્મી

ABOUT THE AUTHOR

...view details