- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ
- રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ વધુ મજબૂત થાય છે
- તપ અને ત્યાગની ભાવના વધે છે
- ભવિષ્ય નિર્માણ માટે નવી ઊર્જા મળશે
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવવા અમદાવાદ આવ્યાં ત્યારે તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી અને હૃદયકુંજની બહાર સંદેશા પોથીમાં સંદેશ લખ્યો હતો. વડાપ્રધાને આશ્રમની મુલાકાત નોંધમાં પોતાના અભિપ્રાય વ્યક્ત કરી બાપુને ભાવાંજલિ આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલ સંદેશ અક્ષરસઃ નીચે મુજબ છે
સાબરમતી આશ્રમમાં આવીને પૂજ્ય બાપુની પ્રેરણાથી રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ વધુ મજબૂત થાય છે. અહીંનું પવિત્ર વાતાવરણ, અહીંયાની સ્મૃતિઓ સાથે જ્યારે આપણે એકાકાર થઈ છે ત્યારે સ્વભાવિકપણે તપ અને ત્યાગની ભાવના વધી જાય છે.