ગુજરાત

gujarat

ETV Bharat / city

PM નરેન્દ્ર મોદીનો અમદાવાદ એરપોર્ટ પર જ બેઠકોનો દોર, શું ચર્ચા થઈ જાણો - PM Modi Meeting Ahmedabad

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી ગયા છે. બપોરે 2.30 વાગ્યે એરપોર્ટ પર આવ્યા પછી તેમણે એરપોર્ટ પર જ સીએમ, અગ્રણી નેતાઓ, સંગઠન અને વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને ગુજરાત અંગે વિવિધ ચર્ચા કરી હતી. શું ચર્ચા થઈ તે અંગે ઈ ટીવી ભારતનો વિશેષ અહેવાલ. PM Modi Meeting Ahmedabad, Gujarat Government, PM Modi Gujarat Visit 2022

PM નરેન્દ્ર મોદીની અમદાવાદ એરપોર્ટ પર જ બેઠકોનો દોર, શું ચર્ચા થઈ જાણો
PM નરેન્દ્ર મોદીની અમદાવાદ એરપોર્ટ પર જ બેઠકોનો દોર, શું ચર્ચા થઈ જાણો

By

Published : Aug 27, 2022, 9:42 PM IST

Updated : Aug 27, 2022, 10:19 PM IST

અમદાવાદ:અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં (PM Modi Meeting Ahmedabad) આવી રહી છે. ઓકટોબર મહિનાના પહેલા સપ્તાહમાં જ ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ જશે. તે અગાઉ વડાપ્રધાન અનેક વિકાસના કામોનું લોકાર્પણ કરવા માટે બે દિવસના ગુજરાતના પ્રવાસે (PM modi Gujarat Visit 2022) આવ્યા છે. તેઓ દર વખતે ગુજરાતના પ્રશ્નો અને વિકાસના કામોની સમીક્ષા કરતાં રહે છે. શનિવારે અમદાવાદ એરપોર્ટ (PM Modi Meeting Ahmedabad Air port) પર બપોરે 2.30 વાગ્યે આવી ગયા હતા. અને રીવરફ્રન્ટ જવા માટે 5 વાગ્યે રવાના થયા હતા.

આ પણ વાંચો: ગુજરાતે ભૂલાઈ ગયેલી ખાદીને નવજીવન આપ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ગુજરાતના પ્રશ્ને ચર્ચા: તે વચ્ચેના સમયમાં એરપોર્ટ પર બેઠક હતી. તેમાં ગુજરાતના પ્રશ્નોને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી હતી. તેમજ વિકાસ કામોના મુદ્દાને લઈને તેમણે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું કામ કેટલું પુર્ણ થયું છે, અને હવે કેટલું બાકી છે. મેટ્રો ટ્રેનના ટ્રાયલનો રીપોર્ટ પણ લીધો હતો. જો કે મેટ્રો ટ્રેનના ધીમા કામને લઈને તેમણે આ કામ ઝડપી કરવા પણ કહ્યું હતું. અને મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ સંભાળતા અધિકારીઓને તાકીદ કરી હતી, કે મેટ્રો ટ્રેન ઝડપથી શરૂ થવી જોઈએ. કદાચ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા તે પહેલા વડાપ્રધાન ખૂદ મેટ્રો ટ્રેનના એક રૂટને શરૂ કરાવશે. તેવી તૈયારીઓ કરવા કહેવાયું છે.

ગાંધી આશ્રમ પ્રોજેક્ટ:ગાંધીઆશ્રમનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે વડાપ્રધાને કામની સમીક્ષા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રૂપિયા 1200 કરોડના ખર્ચે ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટનો પ્લાન છે. જેને જાહેરહિતની અરજી સાથે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જો કે તેમાં ગાંધીજીના મુલ્યો અને વારસાનું સંપૂર્ણ જતન કરીને ગાંધી આશ્રમના ઢાંચીને બદલાશે નહી, તેવી સરકારની હૈયાધારણા પછી મંજૂરી અપાઈ હતી. જે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કામ કેટલે પહોંચ્યું છે તેની વડાપ્રધાન મોદીએ ચર્ચા કરી હતી.

આ પણ વાંચો: ઢોર નિયંત્રણ બિલ તો ક્યારે અમલી થશે તે તો રામ જાણે પણ સરકારે હવે કર્યો આ નિર્ણય

રાજકીય સ્થિતિ:ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. હાલ શું છે રાજકીય સ્થિતિ તે અંગે પણ તાગ મેળવ્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રચારને લઈને પણ ચર્ચા થઈ હોવાનું ચર્ચાય છે. અરવિંદ કેજરીવાલ પાંચ ગેરંટી આપીને ગયા છે, તેની લોકમાનસ પર શું અસર થઈ છે, તેની જાણકારી રાખવી જરૂરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસની શું સ્થિતિ છે, તે અંગે પણ તેમણે વિગતો જાણી હતી. સરકારની કામગીરીની સમીક્ષા પણ કરી હતી. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વડાપ્રધાન મોદી સમક્ષ સમગ્ર ચિત્ર રજૂ કર્યું હોવાનું કહેવાય છે. તે વખતે સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Aug 27, 2022, 10:19 PM IST

ABOUT THE AUTHOR

...view details