ગુજરાત

gujarat

ETV Bharat / city

નિમોનિયાની સારવાર લઇ રહેલા દર્દીનું કોરોનાથી મોત થતા હાઇકોર્ટમાં PIL - ETVBharatGujarat

વર્તમાન સમયમાં તાવ કફ શ્વાસ લેવામાં તકલીફ સહિતના લક્ષણ હોય ત્યારે ડોક્ટર કોરોના ટેસ્ટ કરવાનું કહેતા હોય છે. પરંતુ આવા લક્ષણ સાથેના દર્દીનું કોરોના ટેસ્ટ કર્યા વગર એક્સરે અને અન્ય ટેસ્ટના આધારે કન્સ્ટેડ છાતી અને કિડનીની સમસ્યાનું કહી સારવાર કર્યા બાદ દર્દીની સ્થિતિ વણસતા હોસ્પિટલમાં વેન્ટિલેટર સહિતની વ્યવસ્થા નથી તેમ કહી સરકારી અથવા અન્ય હોસ્પિટલમાં દર્દીને મોકલવના સમયે દર્દીના પરિવારજનોને દર્દી કોરોના પોઝિટિવ છે તેમ કહેનાર ખાનગી હોસ્પિટલના ડોકટર સામે મૃતક દર્દીના પત્ની દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવા આવી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને આ કેસમાં તપાસ કરવાનો આદેશ કર્યો છે.

કોરોનાના લક્ષણ હોવા છતાં ન્યૂમોનિયા કહી સારવાર આપનાર દર્દીનું મોત થતાં હાઈકોર્ટમાં PIL
કોરોનાના લક્ષણ હોવા છતાં ન્યૂમોનિયા કહી સારવાર આપનાર દર્દીનું મોત થતાં હાઈકોર્ટમાં PIL

By

Published : Sep 4, 2020, 8:52 PM IST

Updated : Sep 5, 2020, 12:21 AM IST

અમદાવાદઃ ડોકટરોને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે જે જોકે ઘણીવાર તેમની બેદરકારીને લીધે દર્દીઓને જીવ પણ ગુમાવવો પડે છે. અરજદાર વતી એડવોકેટ સિકંદર સૈયદ અને રશીદા બાજી તરફે હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે નિકોલમાં આવેલા સહજાનંદ ખાનગી હોસ્પિટલમાં તાવ અને કફની સમસ્યા માટે ગયેલા દર્દી- પ્રફુલભાઈ સોનીનો કોરોના રિપોર્ટ કર્યા વગર એક્સ-રે સહિતના ટેસ્ટ બાદ ન્યૂમોનિયા અને કિડનીની સમસ્યાનું નિદાન કરી સારવાર કરનાર ડોકટર આશિત પટેલે દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સ્થિતિ વણસતાં દર્દી કોરોના પોઝિટિવ છે અને તેમના હોસ્પિટલમાં વેન્ટિલેટર અને અન્ય સુવિધાઓના અભાવ હોવાથી સરકારી અને અન્ય હોસ્પિટલમાં લઈ જવા દબાણ કર્યું હતું. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીનું કોરોનાથી મોત નીપજ્યું હતું.

કોરોનાના લક્ષણ હોવા છતાં ન્યૂમોનિયા કહી સારવાર આપનાર દર્દીનું મોત થતાં હાઈકોર્ટમાં PIL
અરજદાર પારૂલબહેન સોની દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે ડોક્ટર આશિત પટેલે જ્યારે તેમને અન્ય હોસ્પિટલ જવાનું દબાણ ઉભું કર્યું ત્યારે લિફ્ટ સુદ્ધાંનો ઉપયોગ કરવા દીધો નહીં અને દર્દીને આવી અવસ્થામાં સીડી મારફતે નીચે ઉતારવામાં આવ્યાં હતાં. આ બાદ તેઓ બાપુનગર ESIC હોસ્પિટલ ગયાં જોકે ત્યાં વેન્ટિલેટર ન હોવાથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં અને ત્યારપછી ICUમાં દર્દીનું કોરોનાથી મોત નીપજ્યું હતું. હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં માગ કરવામાં આવી છે કે આરોપી ડોક્ટર સામે કડક પગલા લેવામાં આવે અને તેનું લાયસન્સ પણ રદ કરવામાં આવે.
કોરોનાના લક્ષણ હોવા છતાં ન્યૂમોનિયા કહી સારવાર આપનાર દર્દીનું મોત થતાં હાઈકોર્ટમાં PIL
Last Updated : Sep 5, 2020, 12:21 AM IST

ABOUT THE AUTHOR

...view details