- અમદાવાદમાં કોરોના ચેઇન બ્રેક થવાની શક્યતા વધી
- રસ્તાઓ ઉપર ટ્રાફિકમાં જોવા મળી રહી છે ઘટ
- હાઇકોર્ટેના ચીફ જસ્ટિસે પણ જણાવ્યું કે ટ્રાફિક ઘટ્યું છે
અમદાવાદ: કોરોના મહામારીને લઇ ચાલી રહેલી સુનવણી દરમિયાન ચીફ જસ્ટિસ વિક્રમ નાથે પણ જણાવ્યું હતું કે, બોડકદેવના ગોરમોહ ચાર રસ્તા, જજીસ બંગલો પાસે લોકોની અવરજવર ઘટી છે. અગાઉ જ્યાં ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હતી, ત્યાં છેલ્લા કેટલાક દિવસોથી લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. અગાઉ ટ્રાફિક સિગ્નલની ગ્રીન લાઈટ ઓફ થઇ જવા છતાં સંપૂર્ણ ટ્રાફિક ક્રોસ કરી શકાતો ન હતો પણ હવે સિગ્નલ ઉપર રાહ જોતા ટ્રાફિકમાં પણ ઘટાડો થયો છે. હવે ગ્રીન સિગ્નલ હોવા છતાં રોડ ઉપર સિગ્નલ ક્રોસ કરવા વાહનો નથી.
આ પણ વાંચો : અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવો નિયમ, નાઈટ કરફ્યુમાં જેની પાસે સ્ટીકર હશે તે જ બહાર નીકળી શકશે