'વિશ્વ ઓઝોન દિવસ' નિમિત્તે જાણીએ સૂર્યના ઘાતક પારજાંબલી કિરણોથી જીવસૃષ્ટિને બચાવતાં ઓઝોન લેયર વિશે... - ઈટીવી ભારત
1987માં કેનેડાના મોન્ટ્રીયલમાં યુનાઈટેડ નેશન્સના 190થી વધુ દેશોએ ઓઝોન સ્તરમાં થઈ રહેલા ઘસારાને રોકવા માટે કાર્બનનો ઉપયોગ ઘટાડવા કરાર કર્યો હતો, જે મોન્ટ્રીયલ પ્રોટોકોલના નામે જાણીતો છે. તે જ દિવસને ઉપલક્ષમાં રાખીને યુ.એન. દ્વારા 1994માં 16 સપ્ટેમ્બરના દિવસને 'વિશ્વ ઓઝોન દિવસ' તરીકે ઉજવવામાં આવશે તેવું નક્કી કરાયું હતું. જે 1995થી દર 16 સપ્ટેમ્બરે આ દિવસે યુનાઇટેડ નેશન્સ દ્વારા તે વિશે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરવામાં આવે છે. આ 36મું વર્ષ છે.

'વિશ્વ ઓઝોન દિવસ' નિમિત્તે જાણીએ સૂર્યના ઘાતક પારજાંબલી કિરણોથી જીવસૃષ્ટિને બચાવતાં ઓઝોન લેયર વિશે...
અમદાવાદઃ પૃથ્વીના વાતાવરણના બહારના પડમાં ઓઝોન વાયુનું એક લેયર આવેલું છે. આ ઓઝોન વાયુનું લેયર તે સૂર્યના ઘાતક પારજાંબલી કિરણોથી પૃથ્વી પરની જીવસૃષ્ટિની રક્ષા કરે છે. જો આ પારજાંબલી કિરણો પૃથ્વી સુધી પહોંચે તો તેના સંપર્કમાં આવવાથી ચામડીનું કેન્સર, શ્વસનમાં તકલીફ, મોતિયો, વનસ્પતિનો વિકાસ રૂંધાવો જેવી હાનિકારક અસરો થાય છે.
'વિશ્વ ઓઝોન દિવસ' નિમિત્તે જાણીએ સૂર્યના ઘાતક પારજાંબલી કિરણોથી જીવસૃષ્ટિને બચાવતાં ઓઝોન લેયર વિશે...