ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: વજ્ર ઑ-ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ પરના અત્યાચાર ઘટાડવા પ્રતિજ્ઞા લેવડાવાઇ - ગુજરાત શિક્ષણ વિભાગ

મહિલાઓ પર થતા અત્યાચારને અટકાવવા માટે સમગ્ર વિશ્વમાં અનેક પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવે છે ત્યારે વજ્ર ઑ-ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા યુનાઇટેડ સાથે ભાગીદારી કરવામાં આવી છે અને તેમાં 16 દિવસની એકટીવીટીઝની ઑરેન્જ ધ વર્લ્ડ નામની થીમ નક્કી કરવામાં આવી છે. જે અંતર્ગત મહિલાઓ પરના અત્યાચાર ઘટાડવા બાળકો પાસે પ્રતિજ્ઞા લેવડાવાઇ હતી.

વજ્ર ઑ-ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ પરના અત્યાચાર ઘટાડવા પ્રતિજ્ઞા લેવડાવાઇ
વજ્ર ઑ-ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ પરના અત્યાચાર ઘટાડવા પ્રતિજ્ઞા લેવડાવાઇ

By

Published : Dec 10, 2020, 8:01 PM IST

  • 16 દિવસની એક્ટીવિઝન થીમ
  • મહિલાઓ પર થતી હિંસા અટકાવવા શરૂ કરાયું અભિયાન
  • બાળકો પાસે પ્રતિજ્ઞા લેવડાવાઇ
    વજ્ર ઑ-ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ પરના અત્યાચાર ઘટાડવા પ્રતિજ્ઞા લેવડાવાઇ

અમદાવાદ: મહિલાઓ પર થતા અત્યાચારને અટકાવવા માટે અને જાતીય હિંસા અંગે તમામ વર્ગના લોકોને માહિતી આપી શકાય તે માટે અમદાવાદમાં વજ્ર ઑ-ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા યુનાઇટેડ સાથે મળીને એક પ્રકારની એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે જેમાં બાળકો પાસે પ્રતિજ્ઞા લેવડાવાઇ હતી.

કોરોના સમયમાં મહિલાઓ પરના અત્યાચારોમાં થયો વધારો

લોકડાઉન દરમિયાન ઘરેલુ હિંસાના કિસ્સાઓમાં 40 ટકા જેટલો વધારો થયો છે. ત્યારે તેને રોકવા માટે વિદ્યાર્થીઓને કાચી ઉંમરથી જ પ્રેરણા મળે તો આગળની પેઢી આ પ્રકારના બનાવોનો ભોગ બનતી અટકે. આ કાર્યક્રમમાં ગુજરાત શિક્ષણ વિભાગને પણ સાથે રાખીને જ ફાઉન્ડેશનના ચેરમેન રૂઝાન ખંભાતા દ્વારા મહિલાઓ વિરૂદ્ધ થતા અત્યાચારો રોકવા માટે આ ધ્યેય નક્કી કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details