- કરફ્યૂના નિયમોને લોકોએ મૂક્યા નેવે
- ગોટા, જગતપુર, 150 ફૂટ રિંગરોડ, અંધજન મંડળ, વસ્ત્રાપુર, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં નિયમોનું ઉલ્લંઘન
- તંત્ર દ્વારા કરફ્યૂના પાલન માટે ન કરાઈ વ્યવસ્થા
અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસ 250ને પાર થયાં છે. રાજ્યમાં સૌથી વધારે સંક્રમણ અમદાવાદ શહેરમાં ફેલાયું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યૂનું એલાન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા રાતના 10 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીનું કરફ્યૂ 31 માર્ચ સુધી લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ શહેરીજનો કરફ્યૂનું પાલન કરે તે માટે કોઈપણ જાતની તંત્ર દ્વારા વ્યવસ્થા ન ગોઠવવામાં આવી હોવાનું પુરવાર થયું છે.
લોકોમાં કોઈપણ જાતની જાગૃતિ નહીં
શહેરના ગોતા, જગતપુર, ચાંદલોડિયા, ઘાટલોડીયા, 150 ફૂટ રીંગરોડ, વસ્ત્રાપુર, અંધજન મંડળ સહિતના વિસ્તારોમાં શહેરીજનો 11 વાગ્યા સુધી બહાર ફરતા દેખાયા હતા. કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. પરંતુ લોકોમાં કોઈપણ જાતની જાગૃતિ ન હોવાનું પણ દેખાઈ રહ્યું છે.
અમદાવાદમાં અનિશ્ચિતકાળ સુધી શું બંધ રહેશે ?
શહેરમાં વધતા જતા સંક્રમણને લઈને તમામ બાગ બગીચા, કાંકરિયા તળાવ, રિવરફ્રન્ટ બગીચા, બાયોડાયવર્સિટી પાર્ક, રિવરફ્રન્ટ લોવર રોમેન્ટિક સાયકલિંગ રોડ, જીમ, ગેમિંગ ઝોન, સ્પોર્ટ્સ ક્લબ, ફ્લાવર ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક, કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ સહિત બંધ રહેશે.