ગુજરાત

gujarat

Epidemic in Ahmedabad : હાશ..! વાદળછાયું વાતાવરણના કારણે લોકોમાં ફેલાણી ઉર્જા

By

Published : Jun 1, 2022, 3:52 PM IST

રાજ્યમાં વરસાદી વાવળ આગમનના કારણે લોકોને થોડી રાહત રહી છે. આ સાથે છેલ્લા કેટલાક દિવસથી રાજયમાં બિમારીના (Epidemic in Ahmedabad) અંકમાં પણ રાહત રહી છે. રાજ્યમાં કેટલાક દિવસોથી વાદળછાયું (Disease in Summer Season) વાતાવરણના કારણે ગત સપ્તાહે નોંધાયેલા આંકડા કરતા આ સપ્તાહમાં મહદઅંશે આંકડા નોંધાયા છે.

Epidemic in Ahmedabad : હાશ..! વાદળછાયું વાતાવરણના કારણે લોકોમાં ફેલાણી ઉર્જા
Epidemic in Ahmedabad : હાશ..! વાદળછાયું વાતાવરણના કારણે લોકોમાં ફેલાણી ઉર્જા

અમદાવાદ : રાજ્યમાં ઉનાળાની સિઝન પુરી થવાના આરે છે. આ વર્ષે ગરમીનું પ્રમાણ પણ ખુબ રહ્યું હતું જેેને કારણે બિમારીના આંકડા પણ વધુ જોવા મળ્યા હતા, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં વાદળછાયુ વાતાવરણના (Epidemic in Ahmedabad) કારણે ગરમીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગરમી ઓછી થવાના કારણે શહેરમાં રોગચાળાના કેસમાં પણ આંશિક ઘટાડો (Ahemdabad Corporation Epidemic) પણ જોવા મળી રહ્યો છે.

ઝાડા - ઉલ્ટીના કેસમાં ઘટાડો - અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગરમીમાં રાહત જોવા મળી રહી છે . જેના કારણે હવે રોગચાળાના કેસમાં પણ રાહત મળી રહી છે. ગત સપ્તાહે (Ahemdabad Health System) ઝાડા ઉલ્ટીના કેસ 145 જેટલા નોંધાયા હતા. જ્યારે આ સપ્તાહમાં 50 ટકા ઘટાડા સાથે માત્ર 75 કેસ જ નોંધાયા છે. સાથે સાથે કમળાના 29 કેસ ટાઈફોઈડના 26 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો :Seasonal Epidemic in Rajkot : રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં તાવ, ઉધરસ, શરદી જેવી સામાન્ય બિમારીઓના આંકડાઓ ચોકાવનારો

ચિકનગુનિયા નવા 2 કેસ નોંધાયા -પાણીજન્ય રોગનું (Incidence Waterborne Disease) પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે સાથે મચ્છરજન્ય કેસો પણ જોવા મળી રહ્યા છે. જેમાં સાદા મેલેરિયા 31 કેસ,ઝેરી મેલેરિયાના 4 કેસ, ડેન્ગ્યુના 3 કેસ, અને ચિકનગુનિયા 2 કેસ નવા નોંધાયા છે. આ સપ્તાહમાં 38,528 જેટલા લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે ડેન્ગ્યુના કેસના કારણે 841 જેટલા સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો :Disease in Summer Season : રાજકોટમાં કોરોનાની સાઈડ કાપી અન્ય રોગચાળાના કેસમાં ઉછાળો

ક્લોરીનની ગોળીનું સતત વિતરણ -પાણીજન્ય (Waterborne Disease in Ahmedabad) રોગ ઘટાડવા માટે વિવિધ સ્ટોલના પાણીના સેમ્પલ લેવામાં આવે છે. જેમાં આ સપ્તાહે 134 જેટલા પાણીના સેમ્પલ અનફિટ નોંધાયા છે. પાણીજન્ય રોગ માટે પીવાના પાણીમાં ક્લોરીન ગોળી નાખવા માટે ચાલુ માસમાં કુલ 85120 જેટલી ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details