- મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં શરૂ થયેલું વેક્સિનેશન સેન્ટર સૌથી વ્યસ્ત સેન્ટર છે
- આ વેક્સિનેશન સેન્ટરમાં દરરોજ 700થી વધુ લોકોનું વેક્સનેશન થાય છે
- ભારતમાં વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન અભિયાનને પૂરા થયા 108 દિવસ
અમદાવાદઃ દેશભરમાં ચાલી રહેલા વેક્સિનેશન અભિયાનમાં હવે મણિનગરનું સ્વામિનારાયણ મંદિર પણ જોડાયું છે. અહીં 1 એપ્રિલથી શરૂ થયેલું વેક્સિનેશન સેન્ટર અમદાવાદના દક્ષિણ ઝોનનું સૌથી વધુ વ્યસ્ત સેન્ટર છે. અહીં દરરોજ 700 કરતાં વધારે લોકો વેક્સિન મેળવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ આયોજનમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની પ્રેરણાથી આ કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચોઃખેડાના ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા
મંદિરના સંતો અને કોર્પોરેશનના અધિકારીઓની મહેનત