ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદની સદુ માતાની પોળમાં પુરુષો મહિલાઓના વેશમાં ઘૂમે છે ગરબે, જાણો શું છે અહીંની પરંપરા... - શાહપુરમાં આવેલી સદુ માતાની પોળ

નવરાત્રી આવતાની સાથે જ ખેલૈયાઓના પગ આપમેળે આ ગરબાના તાલે ઘૂમવા માટે તૈયાર થઈ જતા હોય છે. પરંતુ કોરોના મહામારીના કાળમાં આ વર્ષે ગરબાના આયોજનને મંજૂરી ન મળતા ગરબા રસિકોમાં પણ નારાજગી જોવા મળી છે. જુદા જુદા પ્રાંતની પોતીકી પરંપરાઓ હોય છે. જેમાંની એક પરંપરા અમદાવાદની એક પોળની છે, ત્યારે આ પોળની વાત શું વિસ્મય સર્જે તેવી છે, આવો જોઈએ અમારા વિશેષ અહેવાલમાં..

latest news of amdavad
latest news of amdavad

By

Published : Oct 17, 2020, 9:47 PM IST

Updated : Oct 17, 2020, 10:16 PM IST

  • શાહપુર પોળની આ માન્યતા વિસ્મય સર્જે તેવી છે
  • અહીં પુરુષો મહિલાઓના વેશમાં ગરબે ઘૂમે છે
  • આ તથ્ય પાછળ રહેલી છે રસપ્રદ લોકવાયકા


અમદાવાદ: શાહપુરમાં આવેલી સદુ માતાની પોળમાં બારોટ સમાજમાં એક સતી માતાની યાદમાં આ સમાજના લોકો આઠમના દિવસે રાત્રે મહિલાનાં કપડાં પહેરી ગરબા રમતા હોય છે.આ ગરબા ગાવા માટે પુરુષો તેમની જ સ્ત્રીનો વેશ ધારણ કરીને તૈયાર થતા હોય છે. અહીંના લોકો માતા સામે માનતા રાખે છે જે પૂર્ણ થતા ગરબે ઘુમવા લોકો આવતા હોય છે. આ પરંપરા અહીંના સ્થાનિકો અને અહીંથી બહાર વસતા બારોટ સમાજના લોકોએ જાળવી રાખી છે.

અમદાવાદની સદુ માતાની પોળની આ વાત વિસ્મય સર્જે તેવી છે

જાણો શું છે લોકવાયકા...

આ ગરબાને જોવા માટે મોટી સંખ્યામાં આસપાસના લોકો પણ આઠમના દિવસે અહીં આવતા હોય છે. માન્યતાની વાત કરીએ તો વિક્રમ સંવત 1872 ને ભાદરવા વદ ચોથના દિવસે હરિસિંગ બારોટના ઘરેથી સદુબા માથું આપીને સતી થયા હતા. તે સમયમાં પેશ્વાઓ એટલે કે મરાઠાનું રાજ ચાલતું હતું. કોટ વિસ્તારમાં ભાટવાડા પાસે સદુબાના લગ્ન થયા હતા. ભાટવાડામાં બારોટનો વાસ હતો. જેથી બારોટ મહિલાઓ સાથે સદુભા પણ લગ્ન બાદ પાણી ભરવા માટે જતા હતા. એકવાર ઔતમ નામના વ્યક્તિ તેમને પાણી ભરતા પગની પાની જોઈ ગયા હતા. બારોટની સ્ત્રીઓ મર્યાદા અને મુખને પડદામાં રાખતી હતી અને તે સમયે મુખ ન દેખાય તે રીતે લાજ પણ કાઢવામાં આવતી હતી એટલે ઔતમે પગની પાની ઉપરની તારણ કાઢ્યું કે, આ સ્ત્રીના પગ આવા હશે તો તે કેટલી સ્વરૂપવાન હશે.

આ વાત ભદ્ર કિલ્લા જઈ રાજાને કરી અને કહ્યું કે, કોટ વિસ્તારમાં એક સ્ત્રી છે તે ખૂબ જ સ્વરૂપવાન છે. જે આપના કિલ્લામાં શોભે એવી છે. જેથી રાજાએ પોતાના સિપાઈને ભાટવાડે જવાના આદેશ કર્યા અને બારોટજીને તેડું મોકલ્યું. તે સમયે બારોટ સમાજ ભદ્ર ગયા અને ત્યાં રાજાએ સદુબાની માંગ કરી હતી. પરંતુ બારોટોએ ભાટવાડ પરત કર્યા અને સમાજની ઈજ્જત જશે તેવું વિચારવા લાગ્યા હતા. રાજાને કોઇ પ્રતિઉત્તર ન મળતા રાજાએ બારોટ સમાજ સાથે જંગ લડવાનું નક્કી કર્યું. તેની વાત સદુબા સુધી પહોંચી અને સદુભા પણ અચંબામાં મૂકાઈ ગયા હતા.

શાસ્ત્રકારના વર્ણન મુજબ વાત કરીએ તો...

શાસ્ત્રકાર વર્ણન પ્રમાણે લખવામાં આવ્યું છે કે, 300થી વધુ બારોટોએ રાજાના સૈન્ય સાથે લડાઈ કરી અને શહીદ થઈ ગયા હતા. જેથી અન્ય બારોટ ગભરાઈ ગયા અને સામે રાજાનું મોટું સન્ય જોઈએ છુપાઈ ગયા હતા. તે સમયે સદુબાને સત ચડ્યું અને તેમની સ્તનપાન કરતી દીકરીને છુટ્ટી ફેંકી જેથી તે દેવલોક પામી અને ત્યાં ને ત્યાં તેમનો ફૂલોનો ઢગલો થઈ ગયો હતો. ત્યારબાદ સદુબાએ તેમના પતિ હરિસંગ ને કહ્યું કે, મારા કારણે જો આ થતું હોય તો તમે મને મૃત્યુ આપો મારું માથું કાપો પણ કોઈ પતિ પોતાની પત્નીનું માથું ના કાપી શકે. પરંતુ સદુબા તેમને સોગંદ આપી કહ્યું કે, મારું માથું કાપી દો જેથી હરિસંગે તલવાર હાથમાં લઈ સદુબાના મસ્તક પર મારી પણ તે સમયે હરિસંગનો હાથ કંપાયો એટલે કે ધ્રુજી જતા માથું થોડું રહી ગયું અને લટકી પડ્યું હતું. ત્યારે બાજુમાં રહેલી ભાણેજની તલવાર આપી હરિસંગએ કહ્યું કે, મારાથી આ થઈ નહીં શકે જેથી બાજુમાં રહેલા ભાણેજે તલવાર કાઢીને બીજો ઘા કર્યો હતો, ત્યારે સદુબાએ શ્રાપ આપતા કહ્યું કે, તમે તો મારું મોત પણ બગાડ્યું.

ત્યારબાદ સમય જતાં સદુબાના પરચા મળતા બારોટ સમાજ ચિંતામાં મૂકાઇ ગયો હતો. જેથી આ શ્રાપથી મુક્તિ પામવા બારોટોએ સતી સદુમતીની માફી માંગી અને કહ્યું કે, અમે હરિસિંગની આ ભૂલના બદલે ઘાઘરો પહેરીશું. સદુ માતાએ પરવાનગી આપ્યાના બીજા વર્ષેથી જ નવરાત્રીમાં દર આઠમના દિવસે પુરુષો અહીં ઘાઘરા પહેરી ભવાઈ કરે છે. આમાં તેમની પત્નીઓ જ તેમની મદદ કરે છે. પોળના લોકોનું માનવું છે કે, સદુ માતા માતાજીના ભક્ત હતા અને વર્ષોથી તેઓએ અનેક પરચા આપ્યા છે. જેથી આ પરંપરા આજ દિવસ સુધી આગળ ધપી રહી છે.

Last Updated : Oct 17, 2020, 10:16 PM IST

ABOUT THE AUTHOR

...view details