- ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પ્રથમવાર અપાયું માસ પ્રમોશન
- 8.37 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
- માસ પ્રમોશનથી સરકાર, સ્કૂલો અને કૉલેજો સામે અનેક પ્રશ્નો ધોરણ 10માં બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી અનેક પ્રશ્નો સર્જાશે
અમદાવાદઃ ગુજરાત સરકારે ધોરણ 10 બોર્ડની પરીક્ષા રદ કરી અને બોર્ડમાં પ્રથમવાર માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા છે, પરંતુ આ માસ પ્રમોશનથી ગુજરાત સરકાર, શિક્ષણ બોર્ડ અને શાળાઓ માટે નવા સત્રમાં નવા પ્રશ્નો સર્જાશે. તેના માટે ગુજરાત સરકારે શિક્ષણ બોર્ડ સાથે બેસીને નવી રૂપરેખા ઘડવી પડશે.
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની આગાહી
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વધુ ભયાનક રહી છે. દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. એક તબક્કે 14 હજાર કરતાં વધુ કેસ આવ્યા હતા. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. કોરોનાના કેસ વધીને આવતાં રાજ્યની હોસ્પિટલો ફુલ હતી, બેડ મળતા નથી. 108માં 28 કલાકનું વેઈટિંગ હતું. ઓકિસજનની અછત સર્જાઈ હતી. મૃત્યુઆંક વધ્યો તો સામે રિકવરી રેટ ઘટ્યો હતો. આમ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક રહી છે, જેને પગલે ગુજરાત સરકારને ધોરણ 10 બોર્ડની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવાનો ક મને નિર્ણય લેવો પડ્યો છે. સરકાર છેક છેલ્લી ઘડી સુધી પરીક્ષા લેવાના મુડમાં જ હતી, પરંતુ રાજ્યની પરિસ્થિતિને જોતા તેમજ દેશના ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોઓ ત્રીજી લહેરમાં બાળકો કોરોનાથી સંક્રમિત થવાની સંભાવના વ્યક્ત કરી હતી. જેથી સરકારે કોર કમિટીની બેઠકમાં માસ પ્રમોશનનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચોઃ સરકારના માસ પ્રમોશનના નિર્ણય અંગે આણંદના વાલીઓની પ્રતિક્રિયા