ગુજરાત

gujarat

કોરોના વિસ્ફોટ વચ્ચે આજથી અમદાવાદમાં મેંગો ફેસ્ટિવલ શરૂ

રાજ્યમાં સૌથી વધુ કોરોના સંક્રમણ અમદાવાદમાં છે જેને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી રહી છે ત્યારે બીજીતરફ કોર્પોરેશન દ્વારા કેરી ખરીદવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પંદર દિવસ માટે કેરીઓનું વેચાણ શરૂ થયું છે.

By

Published : May 26, 2020, 2:25 PM IST

Published : May 26, 2020, 2:25 PM IST

કોરોના વિસ્ફોટ વચ્ચે આજથી અમદાવાદમાં મેંગો ફેસ્ટિવલ શરૂ
કોરોના વિસ્ફોટ વચ્ચે આજથી અમદાવાદમાં મેંગો ફેસ્ટિવલ શરૂ

અમદાવાદ: હાલ કોરોના વાયરસના કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લૉક ડાઉન ચારમાં પણ અમદાવાદમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી નથી. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેરીના વેચાણ અને પ્રોત્સાહન આપવા કેરીના વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યાં .છે કોરોના સંક્રમણને અટકાવવા માટે કાલે અધિક મુખ્ય સચિવ ડૉ રાજીવ કુમાર ગુપ્તાના અધ્યક્ષસ્થાનેથી રિવરફ્રન્ટ ખાતે બેઠક મળી હતી જેમાં કેરી ઉત્પાદન કરતા ખેડૂતો તેમની કેરીના પાકનું વેચાણ કરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં આજથી પંદર દિવસ સુધી સવારે 8 થી ચાર વાગ્યા સુધી કેરીનું વેચાણ શરૂ કરી શકાશે.

કોરોના વિસ્ફોટ વચ્ચે આજથી અમદાવાદમાં મેંગો ફેસ્ટિવલ શરૂ
તાલાળાની કેસર કેરી, વલસાડી હાફૂસ, લગડો સહિતની વિવિધ પ્રકારની ઓર્ગેનિક કેરીઓ મળશે. આ તમામ કેરીઓ કેમિકલમુક્ત હશે અને વાજબી ભાવે તમામ કેરીનું વેચાણ અહીં કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details