અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (Gujarat Technological University) વિદ્યાર્થીના સર્વાંગી (MA in Hindu Study course at Gtu) વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે. ટેક્નોલોજી, ઈનોવેશન , સ્ટાર્ટઅપ , સામાજીક દાયીત્વ, આપણી પૌરાણીક વેદ પ્રણાલી અને ભારતીય સંસ્કૃતિથી પણ વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે અર્થે, GTU દ્વારા સમયાંતરે વિવિધ કોર્સ અને કાર્યક્રમનું આયોજન કરવામાં (Hindu Study course at Gtu) આવે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાને લઈને GTU સંચાલીત ધરોહર સેન્ટર ફોર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ દ્વારા આગામી ઑગસ્ટ (MA in Hindu Study course) માસથી 2 વર્ષ માટેનો અનુસ્નાતક કોર્સ M.A ઈન હિન્દુ સ્ટડીઝ શરૂ કરાશે.
GTU શરૂ કરી રહી છે નવો કોર્ષ, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ભણી શકશે ભારતીય સંસ્કૃતિ વિશે - MA in Hindu Study course
અમદાવાદ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (Gujarat Technological University) દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ઘ્યાનમાં રાખીને GTU સંચાલીત ધરોહર સેન્ટર ફોર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ (Hindu Study course at Gtu) દ્વારા આગામી ઑગસ્ટ માસથી 2 વર્ષ માટેનો અનુસ્નાતક કોર્સ M.A ઈન હિન્દુ સ્ટડીઝ શરૂ કરવામાં (MA in Hindu Study course at Gtu) આવશે.
કોર્ષ શરૂ કરનાર દેશની ચોથી યુનિવર્સિટી:આ સંદર્ભે GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , આજની યુવા પેઢી આપણી પરંપરા અને સંસ્કૃતિથી અવગત થાય અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પરીપ્રેક્ષમાં GTU દ્વારા આ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ કોર્સ શરૂ કરનાર GTU સમગ્ર દેશની ચોથી યુનિવર્સિટી છે. GTUના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે રસ ધરાવતાં વિદ્યાર્થીઓને સત્વરે પ્રવેશ મેળવી લેવા માટે જણાવ્યું છે.
આ પણ વાંચો:Surat APMC Chairman Resigns : સુરત એપીએમસી ચેરમેન પદેથી રમણ જાનીનું રાજીનામું, કારણ શું?
વિદ્યાર્થીઓ હવે GTU માં આ કોર્ષ કરી શકશે: આ સંદર્ભે ધરોહર સેન્ટરના ઓએસડી ડૉ. શ્રૃતિ આણેરાવે જણાવ્યું હતું કે, વર્ષ 2021 થી ધરોહર સેન્ટર ભારતીય જ્ઞાન પરંપરાનાં અભ્યાસક્રમોની અત્યાર સુધી 20થી વધુ કોર્સીસની બે બેચ પૂર્ણ કરી ચૂક્યું છે, દેશ – વિદેશોમાંથી વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ તમામ અભ્યાસક્રમોમાં સાંપડ્યો છે. આગામી ઑગસ્ટ માસથી જીટીયુ ધરોહર સેન્ટર અનુસ્નાતક અભ્યાસક્રમો શરૂ કરવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લક્ષ્યમાં રાખીને આગામી 15 જુલાઈથી એમ.એ ઈન. હિન્દુ સ્ટડીઝ વિષયમાં 10 સીટો પર પ્રવેશ પ્રકિયા શરૂ કરવામાં આવશે, અને આ પ્રકારના કોર્ષ બનારસ અને નાલંદા યુનિવર્સિટીમાં ચાલુ છે.