ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / city

AMCની અપીલ પર કર્ણાવતી અને રાજપથ ક્લબ અચોક્કસ મુદત માટે બંધ - અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન

અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશને કોરોના સંક્રમણ ન વધે અને સોશિયલ ડિસ્ટનસિંગ જળવાઈ રહે તે માટે અમદાવાદના કર્ણાવતી અને રાજપથ ક્લબને થોડા સમય માટે ક્લબની પ્રવૃત્તિઓ બંધ રાખવાની અપીલ કરી હતી. જેના અનુસંધાને ક્લબ દ્વારા આ અપીલને સ્વીકારવામાં આવી છે અને ઓછામાં ઓછા એક મહિના સુધી ક્લબની દરેક પ્રવૃત્તિઓ બંધ રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું.

AMCની અપીલ પર કર્ણાવતી અને રાજપથ ક્લબ અચોક્કસ મુદત માટે બંધ
AMCની અપીલ પર કર્ણાવતી અને રાજપથ ક્લબ અચોક્કસ મુદત માટે બંધ
author img

By

Published : Nov 24, 2020, 3:52 PM IST

  • કર્ણાવતી અને રાજપથ ક્લબ અચોક્કસ મુદત માટેબંધ
  • કોરોના સંક્રમણ ન વધે અને સોશિયલ ડિસ્ટનસિંગ જળવાઈ રહે તે માટે લેવાયો નિર્ણય
  • AMCએ કરી હતી ક્લબ બંધ રાખવા અપીલ

અમદાવાદ: દિવાળી પછી સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થતા સરકાર એક્શનમાં આવી છે અને અમદાવાદ તેમજ ગુજરાતના અન્ય મહાનગરોમાં કર્ફ્યૂ લાદી દેવા સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. જેના ભાગરૂપે AMCએ અમદાવાદની સૌથી મોટી બે ક્લબ કર્ણાવતી અને રાજપથ ક્લબ અચોક્કસ મુદત માટે બંધ કરવાની અપીલ કરી હતી. આ અપીલને બંને ક્લબ દ્વારા માન્ય રાખવામાં આવી છે અને થોડા સમય માટે ક્લબની પ્રવૃત્તિઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેથી ત્યાં આવતા લોકોના સ્વાસ્થ્યને પણ બચાવી શકાય અને કોરોના સંક્રમણ ફેલાતું અટકાવી શકાય.

AMCની અપીલ પર કર્ણાવતી અને રાજપથ ક્લબ અચોક્કસ મુદત માટે બંધ

નિર્ણય સાથે ક્લબના સભ્યો પણ સહમત

આ વિશે અમદાવાદના કર્ણાવતી કલબના મેમ્બર અને કલબના ડાયરેક્ટર કેતનભાઈ પટેલે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે ક્લબના મેમ્બરો પણ આ વાત સાથે સંમત છે અને જ્યાં સુધી કોરોના સંક્રમણ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી બંને ક્લબની પ્રવૃત્તિઓ બંધ રહેશે.

ABOUT THE AUTHOR

...view details