ગુજરાત

gujarat

By

Published : Nov 7, 2019, 7:23 PM IST

ETV Bharat / city

જયંતિ ભાનુશાળી હત્યા કેસ: આરોપીઓને આવતીકાલે ભચાઉ કોર્ટમાં રજૂ કરાશે

અમદાવાદઃ જયંતી ભાનુશાળી હત્યા કેસ મામલે વધુ બે આરોપીઓ મનીષા ગોસ્વામી તથા સુરજીત ભાઉની રેલવેની SITની ટીમે યુપીથી ધરપકડ કરી છે. જે બાદ બંને આરોપીઓને યુપીથી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડના આધારે અમદાવાદ લાવવામાં આવ્યા છે.  હવે બન્ને આરોપીઓના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ પૂરા થતાં બન્ને શુક્રવારે ભચાઉ કોર્ટમાં રજુ કરવામાં આવશે અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

jayanti bhanushali case update

જયંતી ભાનુશાળી હત્યા કેસમાં આરોપીઓને શુક્રવારે ભચાઉ કોર્ટમાં રજુ કરવામાં આવશે. 9 જાન્યુઆરીએ ચાલુ ટ્રેનમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય તથા કદાવર નેતા જયંતી ભાનુશાળીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનું કાવતરું રચનારા છબીલ પટેલ હતો. જેને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 7 આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસના મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી તથા સુરજીત ભાઉ છેલ્લા આઠ મહિનાથી ફરાર હતાં. જેમની રેલવે પોલીસની SITની ટીમે યુપીના પ્રયાગરાજથી ધરપકડ કરી હતી.

આરોપીઓને આવતીકાલે ભચાઉ કોર્ટમાં રજૂ કરાશે
બંનેની ધરપકડ કર્યા બાદ બંને આરોપીઓને યુપીથી ખાનગી વાહનમાં અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતાં .આરોપીઓ 8 નવેમ્બર સુધીના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ પર હતાં. જે શુક્રવારે પુરા થશે. બંને આરોપીઓને ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ભચાઉ કોર્ટમાં પ્રોડકશન રિપોર્ટના આધારે રિમાન્ડની માંગણી કરવામાં આવશે. હાલ બંને આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details