ગુજરાત

gujarat

ETV Bharat / city

જગન્નાથ મોસાળથી નિજ મંદિર પરત ફર્યા, અમુક લોકો માસ્ક વગરના દેખાયા

જગન્નાથ રથયાત્રાને લઈને આજદિન સુધી ભક્તોમાં અસમંજસ જોવા મળતી હતી, પરંતુ રાજ્ય સરકારે જગન્નાથ રથયાત્રા ( 144th Jagannath RathYatra )ને કાઢવાની મંજૂરી આપતા ભક્તોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ સાથે, આજે ગુરૂવારે ભગવાનને પોતાના મોસાળ સરસપુરથી નિજ મંદિર ( Nij Mandir ) પરત લાવવામાં આવ્યા છે. આ તકે મહંત દીલીપદાસજીએ તેમનું સ્વાગત કર્યું હતું.

By

Published : Jul 8, 2021, 3:51 PM IST

Updated : Jul 8, 2021, 5:11 PM IST

જગન્નાથ મોસાળથી નિજ મંદિર પરત ફર્યા
જગન્નાથ મોસાળથી નિજ મંદિર પરત ફર્યા

  • મોસાળથી ભગવાનને પરત લાવવામાં આવ્યાં
  • ભક્તોએ મંદિર ખાતે મામેરાના દર્શન કર્યા
  • અષાઢી બીજે વિધિવત્ રથયાત્રા કાઢવામાં આવશે

અમદાવાદ: આખરે આતુરતાથી જેની રાહ જોવાતી હતી તે જગન્નાથ રથયાત્રા ( 144th Jagannath RathYatra )ને લઈને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં, અષાઢી બીજના દિવસે અમદાવાદ શહેરમાં કરફ્યૂ સાથે રથયાત્રા કાઢવામાં આવશે. આજે ગુરૂવારે ભગવાન જગન્નાથ પોતાના મોસાળ સરસપુરથી નિજ મંદિર ( Jagannath Returned to Nij Mandir ) પોતાના ભાઈ-બહેન સાથે પરત ફર્યા છે, ત્યારે તેમના સ્વાગત સાથે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

જગન્નાથ મોસાળથી નિજ મંદિર પરત ફર્યા

આ પણ વાંચો:જનતા કરફ્યૂ વચ્ચે નીકળશે રથયાત્રા, ભગવાન નગરચર્યાએ નીકળશે પણ ભક્તો નહિ હોય

વાજતે-ગાજતે મોસાળિયાઓ ભાણેજ માટે મામેરુ લાવ્યા

સરસપુરવાસીઓએ ભગવાનને મામેરામાં નવા વાઘા અને ઘરેણા આપ્યા છે. આ ઘરેણા અને વાઘા પહેરીને ભગવાન જગન્નાથ અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળશે. આજે ગુરૂવારે મંદિરના મહંત, ટ્રસ્ટી તેમજ કાર્યકરો દ્વારા ભગવાનના મામેરાના દર્શન લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. 8 ગજરાજો અને બેન્ડવાજા સાથે સરસપુરવાસીઓ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં મહંત દીલીપદાસજીએ તેમનું સ્વાગત કર્યું હતું. તેમજ મંદિર તરફથી તેમના માટે જમણનું પણ આયોજન કરાયું હતું.

નેત્રોત્સવ વિધિ કરાશે

આજે ગુરૂવારે રથ યાત્રાને મંજૂરી આપવામાં આવી હોવાથી પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. હાલ ભગવાનના મોસાળમાં જાંબુ ખાવાથી આંખો આવે ( ઉઠે) છે, તે માટે તેમની આંખે પાટા બાંધવામાં આવશે. ત્યારબાદ, નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. અષાઢી બીજે વહેલી સવારે કેન્દ્રીય ગૃહપ્રાધન અમિત શાહના હાથે મંગળા આરતી થશે. આ ઉપરાંત, મુખ્યપ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનના હસ્તે પહિંદવિધિ બાદ વિધિવત્ રથયાત્રા કાઢવામાં આવશે.

આ પણ વાંચો:રથયાત્રાનું આયોજન કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ: IB

ભગવાનના પરત ફર્યા બાદ આરતી કરાઈ

ભગવાન જગન્નાથ નીજ મંદિરે પરત ફરતા મંદિરે આવતા દર્શનાર્થીઓ હવે ભગવાનના દર્શન પણ કરી શકશે. ભગવાનને અર્પણ કરાયેલી વસ્તુઓના પણ દર્શનાર્થીઓ દર્શન કરવા આવ્યા હતા. આ સાથે ગજરાજના આશીર્વાદ પણ મેળવ્યા હતા. હાલ ભક્તો રથયાત્રામાં સવાર ભગવાનના દર્શન કરવા આતુર છે.

Last Updated : Jul 8, 2021, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details