ગુજરાત

gujarat

ETV Bharat / city

ગ્રેડ પે મામલે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારીએ શરૂ કર્યું આંદોલન - ગ્રેડ પે

ગુજરાત રાજ્યમાં પોલીસ (Gujarat Police) કર્મચારીઓ દ્વારા ગ્રેડ પે (Grade Pay) વધારવા માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા દ્વારા હવે કેટલાક પોલીસકર્મચારીઓ (Policemen) જાહેરમાં આવીને ગ્રેડ પે વધારવાની માંગણી કરી રહ્યા છે. ત્યારે નવરંગપુરા પોલીસ સ્ટેશન (Navrangpura Police Station)માં ફરજ બજાવતા નીલમબેને ચાલું નોકરીએ અન્નજળનો ત્યાગ કરતાં વિરોધ ઉગ્ર બન્યો છે.

ગ્રેડ પે મામલે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારીએ શરૂ કર્યું આંદોલન
ગ્રેડ પે મામલે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારીએ શરૂ કર્યું આંદોલન

By

Published : Oct 26, 2021, 5:31 PM IST

  • ગ્રેડ પે વધારવાની માંગ સાથે આંદોલન શરૂ
  • પોલીસકર્મીઓ ગ્રેડ પે મુદ્દે કરી રહ્યા છે વિરોધ
  • નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ શરૂ કર્યું આંદોલન

અમદાવાદ: રાજ્યમાં અત્યારે ગુજરાત પોલીસ (Gujarat Police) ગ્રેડ પે (Grade Pay) વધારવાની માંગણી સાથે વિરોધ કરી રહી છે. સોશિયલ મીડિયા પર પોલીસકર્મચારીઓ (Policemen) નો વિરોધ જોઇ શકાય છે. ત્યારે નવરંગપુરા પોલીસ સ્ટેશન (Navrangpura Police Station)માં ફરજ બજાવતાં નીલમબેને ચાલું નોકરીએ અન્નજળનો ત્યાગ કર્યો હતો. ગુજરાત પોલીસ કર્મચારીઓ દ્વારા ગ્રેડ પે વધારવાની માંગ સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

પોલીસકર્મી હાર્દિક પંડ્યાના વિધાનસભા ખાતે ધરણા

સોશિયલ મીડિયા ઉપરાંત હવે પોલીસ કર્મીઓ જાહેરમાં આવીને ગ્રેડ વધારવાની માંગણી કરી રહ્યા છે. બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી હાર્દિક પંડ્યા વિધાનસભા ખાતે ધરણા પર બેઠા હતા, જ્યારે આજે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી નીલમબેન પણ ધરણા પર બેઠા છે.

જ્યાં સુધી ગ્રેડ પેનો ચુકાદો ન આવે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ - નીલમબેન

મહિલા પોલીસકર્મી નીલમબેને 'જ્યાં સુધી ગ્રેડ પેનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરશે' તેવું વોટ્સએપમાં સ્ટેટ્સ મૂકીને માંગણી કરી રહ્યા છે. મહિલા પોલીસકર્મી નીલમબેને અન્નજળનો ત્યાગ કરવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે, જેને અન્ય પોલીસકર્મીઓ પણ સપોર્ટ કરી રહ્યા છે. જો કે જાહેરમાં આ રીતે આંદોલન છેડવામાં આવતા ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી ગઇ છે.

નીલમબેન પર ઉચ્ચ અધિકારીઓ દ્વારા દબાણ

મહિલાકર્મી નીલમબેન દ્વારા અન્નજળનો ત્યાગ કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં નિલમબેનને નજરકેદ કરી તેમનો મોબાઈલ કબજે કરી તેમાંથી ફોટા સહિત વોટ્સએપ DP પણ ડીલીટ કરવામાં આવ્યું હોવાનું વિશ્વસનીય સૂત્રો જણાવવી રહ્યા છે. નીલમબેન પર ઉચ્ચ અધિકારીઓ દ્વારા અત્યારે દબાણ આપવામાં આવી રહ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: ગ્રેડ પે વધારવાની માગ સાથે પોલીસ પરિવારોના ગાંધીનગરમાં ધરણાં, કહ્યું- નોકરીના પગાર ફિક્સ કરો

આ પણ વાંચો: વિજિલન્સ અવેરનેસ વિક : Corruption ની ફરિયાદ કેવી રીતે કરવી તે માટે લોકોને જાગૃત કરાશે

ABOUT THE AUTHOR

...view details