ગુજરાત

gujarat

ETV Bharat / city

કરોનાના કેસમાં વધારો પણ એક પણ દર્દીનું કરોનાના કારણે મોત નહિ - Corona Abdet

છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસ સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં સતત પાંચમા દિવસે 480 કેસ કોરોના નોંધાયા છે. જ્યારે 369 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.36 ટકા નોંધાયો છે, જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોનાના દર્દીનું મોત થયું નથી.

vઅમદાવાદઃ
vઅમદાવાદઃ

By

Published : Mar 4, 2021, 10:58 PM IST

  • રાજ્યમાં ફરી કોરોના વકર્યો
  • કોરનોના કારણે આજે રાજ્યમાં એકપણ મોત નહિ
  • અમદાવાદ સહિત રાજ્યમાં ફરી કોરોના વકર્યો

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રીતના કોરોના ગાઇડલાઇનનો ઉલ્લંઘન થયું હતુ. તેને ધ્યાનમાં રાખીએ તો કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે રિકવરી રેટમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. આમ છેલ્લા 24 કલાકમાં કુલ 480 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 369 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં રિકવરી રેટ 97.36 ટકા નોંધાયો છે.

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંતર્ગત રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ 2,749 પોઝિટિવ કેસ છે. જેમાંથી 40 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 2,709 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,64,564 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4,412દર્દીના સારવાર દરમિયાન મૃત્યું થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 98 નોંધાયા છે. જે બાદ વડોદરામાં 80 રાજકોટમાં 45 અને સુરતમાં 91 પોઝિટિવ કેસ નોંધાયા છે.

વેક્સિનના કારણે એકપણ વ્યક્તિને આડઅસર નહિં

રાજ્યમાં વેક્સિનેશનની વિગતો જે પ્રમાણે છે. તે અંતર્ગત પ્રથમ ડોઝમાં 11,09,515 વધુ અને બીજા ડોઝમાં 2,45,010 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. તો અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના કારણે એકપણ વ્યક્તિને આડઅસર થઈ નથી.

ABOUT THE AUTHOR

...view details