ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલનો પ્રારંભ - Discussion of folklore

અમદાવાદ આંતરરાષ્ટ્રીય લોકસાહિત્ય ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વિવિધ લોકસાહિત્યકારોએ પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા. લોકસાહિત્યને લઈને લોકોમાં જાગૃતિ આવે અને લોકો વાંચન તરફ પ્રેરાય તે માટે ખાસ આયોજન કરાયુ હતું, તેમજ સાથે-સાથે યુવા કવિ, લેખકો, ગઝલકારો, દિગ્દર્શકોને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ આયામો ગોઠવવામાં આવ્યાં હતા.

નવા સાહિત્યના જુદા પડતા રંગ ને લઈને ચર્ચા
નવા સાહિત્યના જુદા પડતા રંગ ને લઈને ચર્ચા

By

Published : Feb 28, 2021, 6:35 PM IST

  • લેખક અનિલ ચાવડાની નવલકથા રેન્ડિયર્સ લોકો સામે કરાઈ રજૂ
  • લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા વિવિધ આયામો પર ચર્ચા
  • નવા સાહિત્યના જુદા પડતા રંગને લઈને ચર્ચા

અમદાવાદ:અમદાવાદ ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલનો રવિવારથી પ્રારંભ થયો હતો. જેમાં લોકસાહિત્યકારોએ પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા. લક્ષ્મીશંકર બાજપાઈ, મમતા કિરણ, રવિ યાદવ, ડો.મનોજ અગ્રવાલ, ડોક્ટર હીરાલાલ, ઉમાશંકર યાદવ, ડોક્ટર એસ.કે.નડ્ડા, મોનાલીસા, રીન્કુ રાઠોડ, અભિષેક જૈન, ડોક્ટર શરદ ઠાકર, અનિલ ચાવડા સહિતના લોકો ફેસ્ટિવલમાં હાજર રહ્યા હતા.

લોકસાહિત્યની લોકપ્રિયતા અંગે કરી ચર્ચા

ગુજરાતી લોકસાહિત્યની લોકપ્રિયતા ધીમે-ધીમે ઘટી રહી છે જેને લઈને લોકસાહિત્યકારોએ લોક-જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. સાથે-સાથે લોકસાહિત્યકારોએ લખવામાં આવેલી નવલકથાઓ અને પુસ્તકો વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને વધુમાં વધુ લોકો વાંચે તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદમાં લેખકોનું મંથન

ABOUT THE AUTHOR

...view details