કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને BCGએ વકીલોને અન્ય વ્યવસાય કે નોકરી કરવાની હંગામી છૂટ આપી - વકીલ
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કોર્ટમાં પાછલાં ત્રણ મહિનાથી સંપૂર્ણ સુનાવણી થઈ રહી નથી ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત વકીલાત કરતાં વકીલોને 31મી ડિસેમ્બર સુધી અન્ય કોઈ નોકરી કે વ્યવસાય કરવાની છૂટ આપી છે.
![કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને BCGએ વકીલોને અન્ય વ્યવસાય કે નોકરી કરવાની હંગામી છૂટ આપી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને BCGએ વકીલોને અન્ય વ્યવસાય કે નોકરી કરવાની હંગામી છૂટ આપી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7719360-thumbnail-3x2-bcg-lawyers-7204960.jpg)
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને BCGએ વકીલોને અન્ય વ્યવસાય કે નોકરી કરવાની હંગામી છૂટ આપી
અમદાવાદ: એડવોકેટ એક્ટની કલમ 35 પ્રમાણે કોઈપણ વકીલ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે એ અન્ય કોઇ વ્યવસાય કે નોકરીમાં જોડાઈ શકે નહીં. પરંતુ કોરોના મહામારીને લીધે રાજ્યમાં 75 હજારથી વધુ વકીલોના રોજગારીને અસર થઈ હોવાથી ૩૧મી ડિસેમ્બર સુધી તેમને અન્ય કોઇ વ્યવસાય કે નોકરી કરવાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા છૂટ આપવામાં આવી છે. વકીલાતના વ્યવસાયનું માન જળવાઇ રહે તેવી નોકરી કે વ્યવસાય પસંદ કરવાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ભલામણ કરવામાં આવી છે.