- ભગવાન જગન્નાથ 15 દિવસ મોસાળમાં
- કોરોનાને કારણે ભજન-કિર્તનની રમઝટ બંધ
- ભગવાનને વિવિધ પ્રકારના ભોગ ધરાવાશે
અમદાવાદ: ભગવાન જગન્નાથની 144મી રથ યાત્રા યોજવાને લઈને હજી સુધી સરકાર તરફથી કોઈ જવાબ નથી આવ્યો. રાજ્ય સરકારે 24 જૂન સુધી નિર્ણય લેવાનું કહ્યું હતું. પરંતુ સરકારે પણ હવે પરિસ્થિતિના આધારે નિર્ણય લેવાશે તેમ કહીને વાત જગન્નાથ ઉપર છોડી દીધી છે. જગન્નાથ મંદિર દ્વારા પરંપરા પ્રમાણે રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. તે જ અનુક્રમે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનના જયેષ્ઠ અભિષેક બાદ તેઓ તેમના મોસાળ સરસપુર આવ્યા છે.
ભજન મંડળીઓને આમંત્રણ નહીં
ભગવાનના આગમનને લઇને સરસપુર વાસીઓ ખૂબ જ ખુશ છે. ગયા વર્ષે ભગવાન રથમાં બેસીને સરસપુર આવી શક્યા નહોતા. આ વખતે પણ તેઓ દિવ્ય દર્શન આપશે કે કેમ તેને લઈને તેઓ દુઃખી છે. મોસાળમાં રણછોડરાય મંદિરના ટ્રસ્ટી ઉમંગ પટેલે જણાવ્યું હતું કે, દર વખતે ભગવાનના આગમન વાજતે-ગાજતે કરાય છે. દરરોજ ભજન મંડળીઓની રમઝટ બોલતી હોય છે. પરંતુ કોરોના કાળને લઈને આ વખતે પણ ગયા વર્ષે પણ ભજન મંડળીઓને આમંત્રણ અપાયું નથી ભક્તો પણ પહેલા કરતા ઓછા આવી રહ્યા છે.
આ પણ વાંચો : ડાકોર ખાતે રથયાત્રા યોજવા મંજૂરી માગવામાં આવી
રથયાત્રાનો આખરી નિર્ણય સરકારનો રહેશે : સરસપુર મંદિર