- મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનની રેસ્ક્યૂ ટીમે પક્ષીઓને બચાવ્યા
- મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યૂ ટ્રેનિંગ એડેટમી ટીમ 2 દિવસથી કરી રહી છે રેસ્ક્યૂ ઓપરેશન
- વાવાઝોડાથી પડેલા વરસાદના કારણે અનેક પક્ષીઓ મુકાયા છે મુશ્કેલીમાં
અમદાવાદઃ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યૂ ટ્રેનિંગ એકેડમી ટીમ છેલ્લા 2 દિવસથી અમદાવાદ શહેરમાં સેવા કાર્ય કરી રહી છે. જોકે, ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે બગોદરા અને ભાવનગર હાઈવે રોડ ઠપ થઈ ગયો હતો. રોડ પર પડી ગયેલા વૃક્ષો અને હોર્ડિંગ્સને હટાવી વાહન વ્યવહાર ચાલુ કરવાની કામગીરી સાથે કાચા મકાનોના પતરાં ઉડી જતા બચાવ કામગીરી, ઘવાયેલા માણસોને પ્રાથમિક સારવાર માટે ફર્સ્ટ એડ બોક્સ તેમજ પક્ષી પશુ જીવ-વન્ય અભ્યારણ કે જે વિલુપ્ત પ્રજાતિ કે જેમાં 7 ઈગલ, 1 ઘુવડ, 2 કોબ્રા સ્નેક, 12 મોર, 4 બેબી મન્કી, 1 મોનિટર લિઝાર્ડ, 1 સનબર્ડ વગેરેને અમદાવાદમાંથી રેસ્કયુ કરી લાઈફ કેર સેન્ટરમાં સારવાર માટે આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો-સાવરકુંડલાની નાવલી નદીમાં કાર તણાઈ, એકનો બચાવ અને એક હજુ પણ લાપતા
આસ્ટોડિયા સહિતની વિસ્તારોમાં ટીમ કરી રહી છે કામગીરી