- અમદાવાદમાં ઝાડ પડવાનો સિલસિલો યથાવત્
- અત્યાર સુધી 39 ઝાડ પડવાના ફોન ફાયર વિભાગમાં આવ્યા
- મનપાના તમામ વિભાગ કામગીરીમાં જોડાયા
- ઇજનેર વિભાગ ઇજનેરને લગતી સમસ્યાના નિરાકરણમાં વ્યસ્ત
અમદાવાદ: જિલ્લામાં વરસાદ પડતાની સાથે જ મનપાના વિજિલન્સ વિભાગની ટીમ કાર્યરત કરી દેવામાં આવી છે. જ્યાં પાણી ભરાવવાના ફોન આવે અથવા તો માહિતી મળે ત્યાં મેનહોલ અને કેચપિટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રસ્તા ઉપર થતા નાના સેટલમેન્ટ અથવા તો બ્રેકડાઉનના સમારકામની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો:જામનગરથી જૂઓ ગ્રાઉન્ડ રિપોર્ટ: જિલ્લામાં અત્યાર સુધીમાં તૌકતે વાવઝોડાની કેવી છે અસર