ગુજરાત

gujarat

By

Published : Nov 3, 2020, 8:12 PM IST

ETV Bharat / city

હરિયાણાની નીકિતાને ન્યાય નહીં મળે તો આંદોલન કરીશુંઃ અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના

હરિયાણાના ફરીદાબાદમાં કોલેજ બહાર કરવામાં આવેલી નીકિતાની હત્યાના પડઘા હવે અમદાવાદમાં પડ્યા છે. વિરમગામની અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાએ આ ઘટનાનો વિરોધ કર્યો હતો. આ સાથે જ વિરમગામ પ્રાન્ત અધિકારીને આ ઘટનાને લઈને આવેદનપત્ર પણ આપ્યું હતું અને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માગ કરી હતી.

હરિયાણાની નીકિતાને ન્યાય નહીં મળે તો આંદોલન કરીશુંઃ અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના
હરિયાણાની નીકિતાને ન્યાય નહીં મળે તો આંદોલન કરીશુંઃ અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના

  • હરિયાણાના ફરીદાબાદમાં વિદ્યાર્થિની નીકિતાની હત્યા મામલો
  • અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાએ વિરમગામમાં નોંધાવ્યો વિરોધ
  • અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાએ પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર આપ્યું
  • આરોપીને ફાંસીની સજા આપવા આવેદનપત્રમાં માગ કરાઈ

વિરમગામઃ વિરમગામની અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં નિકિતા બેનને કોલેજની બહાર જાહેરમાં સરેઆમ ગોળી મારી નિર્મમ હત્યા કરવામાં આવી તેને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આરોપીને આ કૃત્ય કરવા બદલ ફાંસીની સજા આપવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી હતી. જો ન્યાય કરવામાં નહીં આવે તો અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details