અમદાવાદરખડતા ઢોરના ત્રાસને લઈને હાઇકોર્ટે જે આકરું વલણ દાખવ્યું હતું અને તે કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂપિયા 2500 નો દંડ ફટકાર્યો છે અને સાથે સાથે જે દંડની રકમ છે તે એડવોકેટ વેલ્ફેર ફંડમાં જમા (Order to deposit fine in welfare fund) કરાવવાનો પણ આદેશ કર્યો છે.
શું છે સમગ્ર મામલોરખડતા ઢોરના ત્રાસના મુદ્દે હાઈકોર્ટે જ્યારે સુનાવણી ચાલુ હતી તે દરમિયાન હાઇકોર્ટે AMCને સવાલ કર્યો હતો કે લાંબા સમયથી આ પ્રશ્નનો ઉકેલ કેમ આવતો નથી અને હાઇકોર્ટના અનેકવાર આદેશ છતાં પણ તેના હુકમનો પાલન કેમ થઈ રહ્યું નથી? અને એએમસી દ્વારા કેમ કોઈ પગલાં ભરવામાં આવતા નથી?
આ પણ વાંચોસુરતમાં રખડતા ઢોર પકડાશે તો ત્રણ મહિના સુધી છોડવામાં નહીં આવે
AMCએ જે છેલ્લું નોટિફિકેશન બહાર પાડ્યુંઆ સમયે AMCએ હાઇકોર્ટને જણાવ્યું હતું કે, આ પ્રશ્નને લઈને પગલાં લેવાઈ રહ્યા છે. આ મુદ્દે AMC કમિશનર (AMC Commissioner) અને પોલીસ કમિશનરે પણ નોટિફિકેશન બહાર પાડેલું છે. જેને લઈને AMCએ જે છેલ્લું નોટિફિકેશન બહાર પાડ્યું (Last Notification of AMC) હતું. તેને હાઇકોર્ટમાં રજૂ કર્યું હતું, પરંતુ એ નોટિફિકેશન ગુજરાતીમાં હતું. તેને અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવામાં આવ્યું ન હતું. આ મુદ્દે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. રૂપિયા 2500નો દંડ હાઇકોર્ટે AMCને ફટકાર્યો (High Court fined AMC) છે.
આ પણ વાંચોહાઇકોર્ટનો રાજ્ય સરકારને સવાલ રખડતા ઢોરનો કેમ ઉકેલ નથી આવ્યો
દંડ એડવોકેટ વેલ્ફેરમાં જમા કરાવવા માટે આદેશરખડતા ઢોરના મુદ્દાને લઈને હાઇકોર્ટે રાજ્ય સરકાર અને AMCની કામગીરીને લઈને આંકડા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે સ્પષ્ટ આપ્યો હતો કે આ પ્રશ્ન ઉકેલ માટે થઈને યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવે અને જો સોમવાર સુધીમાં રખડતા ઢોરને રસ્તા પરથી હટાવવામાં આવે, અને રખડતા ડોના લીધે રસ્તા પર કોઈ પણ વ્યક્તિ ઘાયલ ન થવો જોઈએ. તે મોટી ઘટનાઓ ન બનવી જોઈએ. એવું પણ હાઇકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે. હાઇકોર્ટ દ્વારા જે AMCને દંડ ફટ કરવામાં આવ્યો છે. તે દંડ એડવોકેટ વેલ્ફેરમાં જમા (Advocate Welfare Fund) કરાવવા માટે આદેશ કર્યો છે. એ દંડ જનહિત માટે વપરાય એવું પણ કહેવામાં આવ્યું છે.