ગુજરાત

gujarat

By

Published : Jan 25, 2021, 3:05 PM IST

ETV Bharat / city

શું 1 ફેબ્રુઆરીથી રાત્રી કર્ફ્યુમાં મળશે રાહત? માસ્કના દંડમાંથી પણ મુક્તિ મળે તેવી શક્યતાઓ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને 4 મહાનગરોને સારા સમાચાર મળી શકે છે. ચૂંટણી અગાઉ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં લાદવામાં આવેલા રાત્રિ કર્ફ્યુને સંપૂર્ણપણે હટાવી લેવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ સાથે માસ્કનાં દંડની રકમ પણ ઘટાડાય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

થી રાત્રી કરફ્યુમાં આવશે રાહત ?,
થી રાત્રી કરફ્યુમાં આવશે રાહત ?,

  • રાજ્યમાં કરફ્યુથી રાહતના સમાચાર આવશે?
  • સરકાર કરફ્યુ હટાવે અથવા રાહત આપે તેવી શક્યતાઓ
  • 30 જાન્યુઆરીની આસપાસ રાજ્ય સરકાર કરશે સત્તાવાર જાહેરાત
    શું 1 ફેબ્રુઆરીથી રાત્રી કર્ફ્યુમાં મળશે રાહત?

ગાંધીનગર : વધતા કોરોના સંક્રમણને લીધે રાજ્ય સરકારે અમદાવાદ, રાજકોટ, સુરત અને બરોડા એમ ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાદી દીધો હતો. રાત્રિ કર્ફ્યુ અમલી થતાની સાથે જ શહેરોમાં કોરોના કેસ પણ વધી રહ્યા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આગામી 1 ફેબ્રુઆરીથી હવે આ શહેરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રાખવો કે નહિ તે અંગે સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે.

શું રાત્રી કારફ્યુમાં મળશે રાહત?

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, જે રીતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઇ છે તેને ધ્યાનમાં લઇને રાજકીય પક્ષોને પ્રચાર પ્રસારમાં રાત્રી કર્ફ્યુ નડે તેમ છે. ત્યારે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર આગામી સમયમાં રાત્રી કર્ફ્યુ માંથી રાહત આપે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર રાત્રી કર્ફ્યુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ને હટાવી પણ શકે છે.

રાત્રી કર્ફ્યુથી પરિસ્થિતિ કંટ્રોલમાં આવી?

જે રીતે દિવાળીના તહેવાર બાદ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું હતું અને એક દિવસમાં સરેરાશ 1500થી વધુ કેસો સામે આવી રહ્યા હતા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાત્રિ કર્ફ્યુના કારણે કોરોના પર કંટ્રોલ મેળવવામાં આવ્યું હોય તેમ હાલનાં આંકડા જોઈને લાગી રહ્યું છે.

હાઇકોર્ટે પણ રાત્રિ કર્ફ્યુનાં નિર્ણયને વખાણ્યો હતો

જે રીતે રાજ્ય સરકારે રાજ્યની ચારેય મહાનગરપાલિકાઓમાં રાત્રિ કર્ફ્યુ અમલી કર્યો હતો અને તેના લીધે પણ કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોય તેમ કહી શકાય. ત્યારે ગુજરાત હાઇકોર્ટે પણ રાજ્ય સરકારના રાત્રિ કરફ્યુના નિર્ણયને વખાણ્યો હતો ત્યારે હવે ચૂંટણીની કામગીરીને જોઈને રાજ્ય સરકાર રાત્રિ કરફ્યુ હટાવશે કે નહીં અથવા આંશિક રાહત આપશે કે નહીં તે જોવું રહ્યું.

સરકારી કાર્યક્રમોમાં જ ઉડે છે કોરોનાની ગાઈડલાઈનનાં ધજાગરા

સામાન્ય લોકો કોરોના ગાઈડલાઈનનો ભંગ કરે તો તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જ્યારે આજદીન સુધીમાં સેંકડો વખત રાજકીય કાર્યક્રમો અને મેળાવડાઓમાં કોરોના ગાઈડલાઈન અને સોશિયલ ડિસ્ટન્સીંગનાં ધજાગરા ઉડતા જોવા મળ્યા છે.

માસ્કનો દંડ ઘટાડવા સનદી અધિકારીઓએ સરકારને ભલામણ કરી હોવાની ચર્ચા

હાલમાં સમગ્ર રાજ્યમાં માસ્ક પહેર્યા વગર જાહેરમાં ફરતા લોકો પાસેથી રૂ. 1 હજાર દંડ વસૂલવામાં આવે છે. ચૂંટણી દરમ્યાન દંડની વધારે પડતી રકમની વિપરીત અસર પડે તેમ હોવાથી સનદી અધિકારીઓએ સરકારને આ અંગે ભલામણ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેના કારણે આગામી 1 ફેબ્રુઆરીથી રાત્રિ કર્ફ્યુની સાથે સાથે માસ્કના દંડમાં પણ રાહત મળી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details