- ગુજરાત સેકન્ડરી સર્વિસ સિલેક્શન બોર્ડે દિવ્યાંગો માટે 3 ટકા જગ્યાઓ ફાળવી
- દિવ્યાંગો માટેના કાયદામાં કુલ જગ્યાઓના 4 ટકા ફાળવણી કરવાની છે જોગવાઈ
- આરક્ષણ વધારવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી, ગુરુવારે થશે સુનવણી
અમદાવાદ: દિવ્યાંગો માટેના કાયદા મુજબ કુલ જગ્યાની 4 ટકા જગ્યાઓ દિવ્યાંગો માટે રાખવાનો નિયમ છે. તેમ છતા ગુજરાત સેકન્ડરી સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા તાજેતરમાં જ સબ એકાઉન્ટન્ટ અને હેડ ક્લાર્ક માટેની 320 જગ્યાઓમાં દિવ્યાંગો માટે માત્ર 3 ટકા જગ્યા ફાળવવામાં આવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.