ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat riots : SITએ કર્યો મહત્વનો ખૂલાસો, ત્રણેય આરોપીઓએ ષડયંત્ર રચવા લીધા લાખો રૂપિયા

ગુજરાત રમખાણ કેસમાં SITએ મોટો ખૂલાસો (Big reveal of SIT in Gujarat riots case) કર્યો છે. આ મુજબ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ફસાવવા માટે તિસ્તા સેતલવાડ, આર. બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટને પૈસા મળ્યા હતા. આ પૈસા કૉંગ્રેસના પૂર્વ નેતા એહમદ પટેલે (Allegation on Congress Former Leader Ahmed Patel) આપ્યા હોવાનું સામે આવ્યું છે.

By

Published : Jul 16, 2022, 11:52 AM IST

Updated : Jul 16, 2022, 2:04 PM IST

Gujarat riots : SITએ કર્યો મહત્વનો ખૂલાસો, ત્રણેય આરોપીઓએ ષડયંત્ર રચવા લીધા લાખો રૂપિયા
Gujarat riots : SITએ કર્યો મહત્વનો ખૂલાસો, ત્રણેય આરોપીઓએ ષડયંત્ર રચવા લીધા લાખો રૂપિયા ખુલાસો, ત્રણ આરોપીઓએ ખાધા 30 લાખ રૂપિયા

અમદાવાદ/દિલ્હી : ગુજરાત રમખાણ કેસમાં (Gujarat 2002 Riots Case) એક પછી એક નવા પત્તા ખૂલી રહ્યા (Big reveal of SIT in Gujarat riots case) છે. ત્યારે હવે SITએ આ મામલે મોટો ખૂલાસો કર્યો છે, જે મુજબ કૉંગ્રેસના પૂર્વ નેતા એહમદ પટેલે (Allegation on Congress Former Leader Ahmed Patel) સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર. બી. શ્રીકુમાર અને પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને પૈસા આપ્યા હતા. આ પૈસા તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ફસાવવા માટે (Conspiracy to implicate the then CM Narendra Modi) આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.

ગુજરાત રમખાણ કેસ

ત્રણેય આરોપીઓએ લીધા હતા પૈસા -સાથે જ SITએ કહ્યું હતું કે, વર્ષ 2002ના ગુજરાત રમખાણો (Gujarat 2002 Riots Case) બાદ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને કથિત રીતે ફ્રેમ કરવા અને તેમની સરકારને પાડી દેવા આ ત્રણ આરોપીઓએ અહેમદ પટેલ પાસેથી 30 લાખ રૂપિયા લીધા હતા.

તપાસ માટે રચાઈ SIT - મહત્વનું છે કે, ગુનાહિત ષડયંત્ર અને બનાવટી બનાવવા માટે આર. બી. શ્રીકુમાર સાથે સેતલવાડની તપાસ કરવા માટે SITની રચના કરવામાં આવી હતી. તો સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર્સ મિતેશ અમીન અને અમિત પટેલ, SITના SP બી.સી. સોલંકીએ શુક્રવારે સેશન્સ કોર્ટમાં તિસ્તા, શ્રીકુમારે કરેલી જામીન અરજી સામે સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ કૉંગ્રેસ તરફથી પૈસા અને અન્ય લાભ મેળવવા માટે ગેરકાયદેસર રીતે મોટી રકમ મેળવી હતી.

આ પણ વાંચો-ભાજપ સરકારને બરતરફ કરવાના ષડયંત્રનો ભાગ હતી તિસ્તા સેતલવાડ

તિસ્તા-શ્રીકુમારને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા - ઉલ્લેખનીય છે કે, અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે 2 જુલાઈએ સેતલવાડ અને શ્રીકુમારને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. ગોધરા કાંડ પછીના રમખાણો પછી SITએ તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી (Conspiracy to implicate the then CM Narendra Modi) અને ગુજરાત સહિત અનેક લોકોને બદનામ કરવાના વિવિધ કમિશન અને અરજીઓમાં તિસ્તા સેતલવાડ, આર. બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે ગંભીર આરોપો મૂક્યા હતા.

આ પણ વાંચો-ગુજરાતને બદનામ કરવા પાછળ અહેમદ પટેલનો હાથઃ SIT

આરોપીઓએ અહેમદ પટેલ સાથે કરી અનેક બેઠક - SITએ એફિડેવિટમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ અહેમદ પટેલ સાથે અનેક બેઠક કરી હતી, જેમાં તેમને પ્રથમ વખત 5,00,000 અને 2 દિવસ પછી 25,00,000 રૂપિયા મળ્યા હતા. જોકે, કૉંગ્રેસના પૂર્વ નેતા અહેમદ પટેલનું 2020માં નિધન થયું હતું.

સુપ્રિમ કોર્ટે ફગાવી હતી ઝાકિયા જાફરીની અરજી - ગયા મહિને સુપ્રિમ કોર્ટે કૉંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ એહસાન જાફરીનાં પત્ની ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દીધી હતી, જેમાં વર્ષ 2002ના ગુજરાતમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી (Conspiracy to implicate the then CM Narendra Modi) અને અન્ય કેટલાકને વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા આપવામાં આવેલી ક્લિનચીટને પડકારવામાં આવી હતી.

ગુલબર્ગ સોસાયટીમાં 69 લોકોના મોત થયા હતા - 28 ફેબ્રુઆરી 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં થયેલી હિંસા દરમિયાન 69 લોકોના મોત થયા હતા. તેમાં કૉંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીનો પણ સમાવેશ થાય છે. તેમનાં પત્ની ઝાકિયા જાફરીએ ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી (Clean chit to Narendra Modi from Supreme Court) સહિત 64 લોકોને SITની ક્લિનચિટને પડકારી હતી.

ગોધરા કાંડમાં 58 લોકોના મોત થયા હતા - 27 ફેબ્રુઆરી 2002એ ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં સવાર 58 યાત્રાળુઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્યભરમાં રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં 1,000થી વધુ લોકો મોત થયા હતા.

Last Updated : Jul 16, 2022, 2:04 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details