- ગુજરાત સરકારે ગરબા ગાવા માટેની થોડી છૂટ આપી છે
- આ વર્ષે નવરાત્રીમાં ગરબા ગાવા મળશે
- નવી સરકારે ગરબા ગાવાની છૂટ આપી છે
અમદાવાદ:નવરાત્રી આડે હવે માત્ર પંદર દિવસ બાકી રહ્યાં છે. ગુજરાતની નવરાત્રી જગમશુહર છે. બોલીવુડ પણ નવરાત્રી માણવા ગુજરાત આવે છે. ગત વર્ષે તો કોરોના જેવી વૈશ્વિક મહામારી હતી, જેથી ગરબા ગાઈ શકયા ન હતા, પણ આ વર્ષે કોરોનાના કેસ સાવ ઘટી ગયા છે, તો ગુજરાત સરકારે ગરબા ગાવા માટેની થોડી છૂટ આપી છે, તેમ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
ગત વર્ષે ગરબા પર પ્રતિબંધ હતો
ગત વર્ષે કોરોના વાયરસ ફેલાયો હતો, જેના કારણે ગુજરાત સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડીને ગરબા રમવા પર પ્રતિબંધ મુક્યો હતો. માત્ર માતાજીની ગરબી અને ઘટ સ્થાપન કરવાની મંજૂરી આપી હતી. પૂજા અને આરતી કરીને રાત્રે 10 વાગ્યા પહેલા ઘરે જતું રહેવાનું. લાઉડ સ્પીકર, ડીજે કે ગરબા ગાવાની છૂટ હતી નહી. આમ પ્રજા ખૂબ કોરોનાથી ડરેલી હતી, જેથી કોઈએ ગરબા ગાયા નથી. માત્ર નવ દિવસ માતાજીની આરતી પૂજા કરી હતી. પ્રસાદ પણ વહેંચવાનો ન હતો.