ગુજરાત

gujarat

ETV Bharat / city

ખેલૈયાઓ માટે મોટા સમાચાર, વેક્સિન લીધી હશે તે જ ગરબા કરી શકશે - Gujarat Government issued guidelines

નવરાત્રી એટલે શક્તિની આરાધનાનું પર્વ અને સાથે ગરબે ઘુમવાની મજા. રાસ રમવાનો અનેરો આનંદ અને રાત્રે નાસ્તાની લહેજત માણવાની. આ વર્ષે આ મજા લૂંટવા મળશે. માતાજીની ભક્તિ કરવા પણ મળશે. ગુજરાત સરકારે નવરાત્રીને લઈને ગાઈડલાઈન્સ જાહેર કરી છે.

corona guideline for navratri in Gujarat
વેક્સિન લીધી હશે તે જ ગરબા કરી શકશે

By

Published : Sep 25, 2021, 3:32 PM IST

  • ગુજરાત સરકારે ગરબા ગાવા માટેની થોડી છૂટ આપી છે
  • આ વર્ષે નવરાત્રીમાં ગરબા ગાવા મળશે
  • નવી સરકારે ગરબા ગાવાની છૂટ આપી છે

અમદાવાદ:નવરાત્રી આડે હવે માત્ર પંદર દિવસ બાકી રહ્યાં છે. ગુજરાતની નવરાત્રી જગમશુહર છે. બોલીવુડ પણ નવરાત્રી માણવા ગુજરાત આવે છે. ગત વર્ષે તો કોરોના જેવી વૈશ્વિક મહામારી હતી, જેથી ગરબા ગાઈ શકયા ન હતા, પણ આ વર્ષે કોરોનાના કેસ સાવ ઘટી ગયા છે, તો ગુજરાત સરકારે ગરબા ગાવા માટેની થોડી છૂટ આપી છે, તેમ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

ગત વર્ષે ગરબા પર પ્રતિબંધ હતો

ગત વર્ષે કોરોના વાયરસ ફેલાયો હતો, જેના કારણે ગુજરાત સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડીને ગરબા રમવા પર પ્રતિબંધ મુક્યો હતો. માત્ર માતાજીની ગરબી અને ઘટ સ્થાપન કરવાની મંજૂરી આપી હતી. પૂજા અને આરતી કરીને રાત્રે 10 વાગ્યા પહેલા ઘરે જતું રહેવાનું. લાઉડ સ્પીકર, ડીજે કે ગરબા ગાવાની છૂટ હતી નહી. આમ પ્રજા ખૂબ કોરોનાથી ડરેલી હતી, જેથી કોઈએ ગરબા ગાયા નથી. માત્ર નવ દિવસ માતાજીની આરતી પૂજા કરી હતી. પ્રસાદ પણ વહેંચવાનો ન હતો.

નવી સરકારે ગરબા ગાવાની છૂટ આપી છે

આ વર્ષે કોરોનાની બીજી લહેર આવીને જતી રહી છે. હાલ ગુજરાતમાં દરરોજ માંડ 10થી 12 કેસ આવે છે. જેથી ગુજરાત સરકારે થોડી છૂટછાટ આપી છે. નવા મુખ્યપ્રધાન સાથે નવું પ્રધાનમંડળ આવ્યું છે, જેથી હવે સરકારે નવરાત્રીની ગાઈડલાઈન્સ જાહેર કરી છે, જેમાં ગરબા ગાવાની છૂટ મળી છે.

નવી ગાઈડલાઈન્સ આવી હશે

  • શેરી ગરબાની છૂટ મળશે
  • સોસાયટી કે એપોર્ટમેન્ટના ચોકમાં માતાજીની ગરબી પઘરાવી શકાશે
  • ઘટ સ્થાપન કરી શકાશેઆરતી પૂજા અને પેકિંગવાળો પ્રસાદ વહેંચવાની છૂટ અપાશે
  • કલબ, પાર્ટી પ્લોટમાં ગરબાની છૂટ નહી મળે
  • શેરી ગરબામાં વેક્સિન લીધી હશે તે જ ગરબા કરી શકશે
  • ગરબા ગાનારે ફરજિયાત પણે માસ્ક પહેરેલું હોવું જોઈએ
  • રાત્રિના 12 વાગ્યા સુધી ગરબા કરી શકાશે
  • ડીજે અને લાઉડ સ્પીકર રાત્રિના 12 વાગ્યા સુઘી વગાડી શકાશે

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details