ગુજરાત

gujarat

By

Published : Aug 31, 2020, 11:02 PM IST

ETV Bharat / city

ગુજરાત કોંગ્રેસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું અવસાન ગયું છે. પ્રણવ મુખર્જી ફેફસામાં સંક્રમણના કારણે ગત ઘણા સમયથી કોમામાં હતા. જેથી તેમને આર્મી હોસ્પિટલમાં વિશેષજ્ઞ ડૉક્ટર્સની ટીમની દેખભાળ હેઠળ રાખવામાં આવ્યા હતા. પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વીટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના અવસાન અંગે જાણકારી આપી હતી. જેને લઈ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના અવસાન પર શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

ETV BHARAT
ગુજરાત કોંગ્રેસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

અમદાવાદઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જીના અવસાન પર અમિત ચાવડાએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે જણાવ્યું કે, પ્રણવ દા 5 દાયકાથી વધારે સમય સક્રિય રાજકારણમાં રહ્યા હતા. લોકસભા અને રાજ્યસભાના સભ્ય તરીકે દેશ સેવામાં કાર્યરત હતા. આ ઉપરાંત તેમણે વિદેશ પ્રધાન, નાણા પ્રધાન સહિતના અનેક મંત્રાલયોમાં પણ દેશની સેવા કરી હતી. તેમણે ઉમદા કાર્ય થકી પક્ષાપક્ષીથી પર રહી સર્વ લોકોમાં સ્થાન મેળવ્યું હતું.

ગુજરાત કોંગ્રેસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

રાષ્ટ્રપતિ તરીકે તેમણે સમગ્ર દેશનો પ્રવાસ કર્યો અને લોકોના દિલ જીત્યા હતા. તેમણે ભારત રત્ન અને પદ્મ વિભુષણથી નવાજવામાં આવ્યા હતા. આવનારી પેઢી પણ તેમને સદાય યાદ રાખશે.

આ પણ વાંચોઃપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન, 84 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

અમિત ચાવડા ઉપરાંત અર્જૂન મોઢવાડીયાએ પણ પૂર્વ રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે, દેશના માર્ગદર્શક અને પૂર્વ રાષ્ટ્રપતિના નિધનથી ભારતે બહુમુખી પ્રતિભા ગુમાવી છે. 55 વર્ષના રાજકીય જીવનમાં અનેક મંત્રાલયમાં રહી તેમણે દેશની સેવા કરી હતી. પ્રણવ દા શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી અને રાજનીતિજ્ઞ હતા. જેનો લાભ આ દેશને સતત મળતો રહ્યો હતો.

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના અવસાનથી જાહેર જીવનમાં ક્યારે ન ભૂલી શકાય તેવી ખોટ પડી છે. પ્રણવ દા દેશના રાષ્ટ્રપતિ તરીકે, ક્રેન્દ્રીય પ્રધાન તરીકે જે કાર્ય કરીને ગયા છે, તે દેશમાં સુવર્ણ શબ્દમાં લખાશે.

આ પણ વાંચોઃજાણો, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું ગુજરાત કનેક્શન

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની વયે નિધન થયું છે. પ્રણવદાના ગુજરાત સાથે ઘેરા સંબંધ હતા. પ્રણવદાએ ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી જીતીને ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમને ગુજરાતી ભાષા નહોતી આવડતી પણ તેમણે ગુજરાત પ્રત્યે વધુ લાગણી હતી.

આ પણ વાંચોઃCM રૂપાણીએ આપી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સોમવારે 84 વર્ષની વયે નિધન થયું છે. પ્રણવદાની વિદાય અંગે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. વિજય રૂપાણીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, આપણે એક કુશળ રાજનીતિજ્ઞ અને માર્ગદર્શક ગુમાવ્યા છે.

આ પણ વાંચોઃરાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું આજે એટલે કે સોમવારે અવસાન થયું છે. જેથી સમગ્ર દેશની રાજનીતિમાં શોક વ્યાપી ગયો છે. પ્રણવ મુખર્જીના અવસાન પર રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રદ્ધાંજલિ સાથે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃEXCLUSIVE: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વર્ષ 1992માં બન્યા હતા આણંદના મહેમાન

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું આજે સોમવારના રોજ નિધન થયું છે. જેની જાણકારી તેમના પુત્ર અભિજીત મુખર્જીએ આપી હતી. પ્રણવ મુખર્જીના નિધના સમાચાર સાંભળી સમગ્ર દેશ સહિત રાજકારણની દુનિયામાં શોક છવાયો છે.

આ પણ વાંચોઃપ્રણવ મુખર્જીનું રાજકીય વિવેચન કે જેના કારણે તેમને ભારતના વડાપ્રધાન ન બનાવાયા

વર્ષ 2004માં કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ ભાજપ સરકારને હટાવ્યા બાદ વડાપ્રધાન તરીકે અનપેક્ષિત રીતે મનમોહનસિંગનું નામ નક્કી કર્યુ હતુ. જે તમામ લોકો માટે આંચકાજનક હતુ ખાસ કરીને પ્રણવ મુખર્જી માટે . આ વાતનો ઉલ્લેખ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંગે પ્રણવ મુખર્જીની પુસ્તક કોલીએસન વર્ષ 1998-12 ઇન દિલ્હીના વિમોચન પ્રસંગે કહી હતી.

ABOUT THE AUTHOR

...view details