- NIAના કેસો માટે 2 જજની નિમણૂકની અરજી હાઇકોર્ટે ફગાવી
- હાલમાં NIAના માત્ર 12 જ કેસ હોવાથી અલગ કોર્ટની જરૂર નહીં
- છેલ્લા 3 મહિનામાં એક સાક્ષી તપાસવામાં આવ્યો
અમદાવાદ: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (National Investigation Agency)ના કેસો માટે સિટી સિવિલ સેશન્સ કોર્ટ (City Civil Sessions Court)માં અલગથી 2 જજની નિમણૂક કરવા માટે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં કરાયેલી અરજીને કોર્ટે ફગાવી હતી. કોર્ટે અહીં નોંધ્યું હતું કે, હાલ NIAના માત્ર 12 કેસ ચાલતા હોવાથી અલગ કોર્ટ રચવાની કોઈ જરૂર જણાતી નથી.
નવી કોર્ટ રચવાની જરૂર નહીં
ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે સેશન્સ કોર્ટ (Sessions Court)માં NIAના કેસ ચલાવવા માટે ઓછામાં ઓછા 2 ખાસ જજની જરૂર છે. હાલ નરોડા રમખાણ કેસ (Naroda Gam Riot Case)ની સુનાવણી NIAના જજ સંભાળી રહ્યા છે, જેના કારણે NIAના કેસો માટે સમય મળતો નથી અને સમયસર કેસ ચાલતા નથી. જો કે આની સામે જસ્ટિસ જે. બી. પારડીવાલા (Justice J.B. pardiwala)ની ખંડપીઠે નોંધ કરી હતી કે આ માટે નવી કોર્ટ રચવાની જરૂર જણાતી નથી, કારણ કે હાલ NIAના માત્ર 12 જ કેસ છે.
કેન્દ્ર સરકારે કરી રજૂઆત